શ્રીનગરમાં આતંકવાદીઓએ ગુરુવારે એક સોનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક સોની પંજાબનો રહેવાસી હતો અને લગભગ ચાર દાયકાથી અહીં રહેતો હતો, જો કે ડોમિસાઇલનું સર્ટિફિકેટ મળ્યાના એક મહિના પછી કાશ્મીરમાં એક દુકાન અને મકાન ખરીદ્યું હતું. ગુરુવારે શહેરના ભીડભાડ વાળા સરાઇ બાલા વિસ્તારમાં બાઇક સવાર આતંકીઓએ જ્વેલરની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
શ્રીનગરમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઇ
કાશ્મીરમાં સંપત્તિ ખરીદી જેને લઈને TRF દ્વારા હત્યા કરાઇ હોવાનો દાવો
મૂળ કાશ્મીરી સિવાયના પણ સંપત્તિ ખરીદી શકે છે તે પ્રકારનો સુધારો સરકાર દ્વારા કરાયો હતો
મૃતક પંજાબી જ્વેલર સતપાલ નિશ્ચલ (70) અમૃતસરમાં રહેતા હતા અને તેમની હત્યાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન TRF દ્વારા લેવામાં આવી છે. TRF એ ફેસબુક દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે નવો ડોમિસાઇલ અધિનિયમ અમને "અસ્વીકાર્ય" છે અને મૂળ કાશ્મીરીઓ સિવાય જમ્મુ-કાશ્મીરમાં જે પણ લોકો સંપત્તિ ખરીદશે તેઓ "કબજે કરનારા" ગણાશે.
InPictures:- Gold smith Satpal Nischal of Indranagar Srinagar who was shot dead by unknown gunmen at Saraibala Srinagar on thursday, cremated at Shamshaan Bhoomi Karan nagar Srinagar pic.twitter.com/VKZ1ckAw50
કાશ્મીરમાં એક્ટિવ અન્ય આતંકવાદી સંગઠનોએ TRF ની પ્રશંસા કરી હતી. TRF સંગઠન કાશ્મીરમાં બહુ ઓળખાણ ધરાવતું નથી અને તે પોતાને જમ્મુ-કાશ્મીર યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ તરીકે ઓળખાવે છે. આ ઘટના બાદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીને TRF ની પ્રશંસા કરી હતી.
InPictures:- Deadbody of Satpal Nischal who was shot dead by unknown gunmen at saraibala Srinagar on thursday evening reached his residence at Indranagar Srinagar after legal medico formalities. pic.twitter.com/DVWR5sQtfn
નવા કાયદા હેઠળ ડોમિસાઇલ સર્ટિફિકેટ મળ્યા બાદ સતપાલ નિશ્ચલ આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવાયેલ પ્રથમ વ્યક્તિ છે. નિશ્ચલ શ્રીનગરમાં નિશ્ચલ જ્વેલર્સના માલિક હતા. પોલીસે જણાવ્યું કે ત્રણ ગોળીઓ તેની છાતીમાં લાગી હતી અને તેને SMHS હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરાયા હતા.