જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદ સામે અભિયાન ચલાવી રહ્યા છે .જે અંતર્ગત અત્યાર સુધીમાં 180 કરતા પણ વધારે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. આ જ શ્રેણીમાં આજે એક શંકાસ્પદ આંતકવાદીએ ફાયરિંગ કરતા પુલવામા જિલ્લામાં એક જવાન ઘાયલ થયો છે.
શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો
હુમલો થતા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો
હુમલાખોરોની શોધખોળ ચાલુ છે
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સોમવારે એક શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. હકિકતમાં આ વિસ્તારની નજીક સીઆરપીએફ દળ પર આતંકવાદીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ જવાનન તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા થયાની થોડી જ વારમાં વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરના અનંતનાગના લારનૂમાં શનિવારે સવારથી જ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલ્યુ હતુ. પોલીસ અને સુરક્ષાબળ ઓપરેશનમાં સફળતા મેળવી હતી. આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર મરાયો હતો. ઉલ્લેખનીય છે કે શિયાળાની સીઝન આવતાં જ આતંકીઓની ગતિવિધી વધી ગઈ છે. સુરક્ષાબળ સંપૂર્ણ રીતે તૈનાત છે અને એક્શન લઈ રહ્યા છે. આ મહિને શોપિયા, બડગામ, શ્રીનગર, કુલગામ સહિત અન્ય વિસ્તારોમાં સુરક્ષાબળોએ ઓપરેશન કરીને અનેક આતંકીઓને ઠાર કર્યા છે.
નોંધનીય છે કે જમ્મૂ-કશ્મીરમાં ચાલુ વર્ષે 75 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં 180 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. જોકે આ ઓપરેશન દરમિયાન ચાલુ વર્ષે જમ્મૂ-કશ્મીર પોલીસના 19 જવાન શહીદ થયા છે. જેમાં CRPFના 21 અને સેનાના 15 જવાન શહીદ થયા છે.