જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સરકારી શાળામાં હુમલો કર્યો. જેમા આંતકીઓએ શાળામાં ઘુસીને ગોળીબારી કરી હતી. આ બનાવમાં શાળાના આચાર્ય સહિત એક શિક્ષકનું કરૂણ મોત થયું છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો બનાવ
શ્રીનગરની સરકારી શાળામાં ઘુસીને કર્યો ગોળીબાર
હુમલમાં બે શિક્ષકોના કરૂણ મોત
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સફાકદલ વિસ્તાપમાં આવેલ એક સરકારી માધ્યમિક શાળામાં આતંકી હુમલો થયો છે. જેમા આતંકીઓએ સ્કૂલની અંદર ઘુસીને હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં આતંકીઓએ ગોળીબાર કર્યો જેમા બે શિક્ષકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
સ્કૂલના પ્રિન્સિપાલનું મોત
મૃતક શિક્ષકો પૈકી એક સ્કૂલના પ્રિન્સિપાલ હોવાનું સામે આવ્યું છે. જેમનું નામ સુખવિંદર કૌર હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક શિક્ષકનું પણ ગોળીબારીમાં મોત થયું છે. જેનું નામ દીપક ચંદ હોવાનું સામે આવ્યું છે.
શિક્ષકો પર કર્યું હતું ફાયરિંગ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર જમ્મુ કાસ્મીરના શ્રીનગરમાં આવેલ ઈદગાહ દર્ગા પાસે આવેલ સ્કૂલમાં અંદર ઘૂસીને આંતકિઓએ શિક્ષકો પર સતત ફાયરિંગ કર્યું હતું. જેના કારણે 2 શિક્ષકોના મોત થયા છે. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અને સેનાએ આતંકીઓની શોધવાની તજવીજ હાથ ધરી છે.
3 દિવસમાં 5 લોકોની હત્યા
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી કાશ્મીરમાં આંતકીઓનો ત્રાસ વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં કાશ્મીરમાં આંતકીઓએ કુલ 5 લોકોની હત્યા કરી છે. અગાઉ પણ આતંકીઓએ ત્રણ લોકોની હત્યા કરી હતી. જેમા પહેલા ફાર્મસી કારોબારી પર અગાઉ તેમણે હુમલો કર્યો હતો. બાદમાં આંતકીઓએ મદીન સાહિબમાં એક સ્ટ્રીટ હૉકર પર ગોળીબાર કર્યો હતો. તે સિવાય પણ આતંકીઓએ બાંદીપોરા જિલ્લામાં એક નિર્દોષ નાગરીકની ગોળી મારી હત્યા કરી હતી.