દિલ્હીના શકરપુરના એન્કાઉન્ટર બાદ 5 શંકાસ્પદ લોકો હથિયાર સાથે ઝડપાયા છે. પકડાયેલા લોકોમાં 2 પંજાબ અને 3 કાશ્મીરના છે. ડીસીપી સ્પેશિયલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત શકરપુરમાં 5 લોકો એક એન્કાઉન્ટરમાં પકડાયા છે. ઉલ્લેખનીય છે કે 5માંથી 3 કાશ્મીરી છે જ્યારે 2 પંજાબના છે. કુશવાહાએ જણાવ્યું કે તેમની પાસેથી હથિયાર અને અન્ય ગંભીર સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં મોટા ષડયંત્રને પાર પાડવા માટે આવ્યા હતા
જલ્દી તેમને ઝડપી લેવામાં આવશે
ઝડપાયેલામાં 5માંથી 3 કાશ્મીરી છે જ્યારે 2 પંજાબના છે
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુંસાર દિલ્હી પોલીસે કહ્યું કે આ ગ્રુપમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી એએસઆઈ દ્વારા ડ્રગ્સના વ્યવસાય માટે સપોર્ટ મળેલો હતો. પોલીસે જણાવ્યું કે આ પાંચેય ક્યા આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા તેની હજું સુધી ખરાઈ નથી થઈ.
#UPDATE The group was backed by ISI for Narcoterrorism. The name of the terror organisation is yet to be confirmed: Delhi Police https://t.co/SVW6S4kkp0
મળતી માહિતી મુજબ શંકાસ્પદોની ઓળખ થઈ ગઈ છે. જેમાં કાશ્મીરના 3 શંકાસ્પદોમાં શબીર અહેમદ, મોહમ્મદ અયૂબ પઠાન અને રિયાજ નામના 3 લોકો છે. જ્યારે પંજાબના ગુરજીત સિંહ અને સુખદીપ સિંહને પોલીસે પકડ્યા છે.
દિલ્હીમાં મોટા ષડયંત્રને પાર પાડવા માટે આવ્યા હતા
તેમની પાસેથી 100000 ડૉલર. હથિયાર અને દસ્તાવેજો મળી આવ્યા છે. દિલ્હી પોલીસ આનું કોઈ સંગઠન સાથે કનેક્શન છે કે કેમ તે શોધી રહી છે. આ દિલ્હીમાં મોટા ષડયંત્રને પાર પાડવા માટે આવ્યા હતા.
જલ્દી તેમને ઝડપી લેવામાં આવશે
દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ઈનપુટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક અસામાજિત તત્વો પ્રદર્શનકારીઓમાં ઘૂસીને માહોલને વધારે ખરાબ કરી શકે છે. આ અસમાજિત તત્વો ઈચ્છે છે કે પોલીસ અને ખેડૂતોની વચ્ચે અથડામણ થાય. આવા તત્વોને એક સંગઠનનું સમર્થન મળી રહ્યું છે. એક વરિષ્ઠ અધિતાકીઓએ જણાવ્યું તે કેટલાક અસામાજિત તત્વોની ઓળખ થઈ ગઈ છે અને જલ્દી તેમને ઝડપી લેવામાં આવશે. પોલીસના અધિકારીઓએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓની વચ્ચે કેટલાક લોકોને કેનેડા સહિત અનેક દેશોમાંથી ફોન આવી રહ્યા છે.