કુલગામના ગોપાલપુરામાં એક પંડિત મહિલાને આતંકવાદીઓએ ગોળી મારી હતી. શિક્ષકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે
કુલગામમાં મંગળવારે આતંકવાદીઓએ એક પંડિત મહિલાને ગોળી મારી
ઘટના બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
J&K | Terrorists fired upon a woman teacher at High School Gopalpora area of Kulgam. In this terror incident, she received critical gunshot injuries, being shifted to hospital. Area has been cordoned off. Further details shall follow: Kashmir Zone Police
જમ્મુ-કાશ્મીરમાં પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે
જમ્મુ-કાશ્મીરમાં પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કુલગામના ગોપાલપુરામાં મંગળવારે શંકાસ્પદ આતંકવાદીઓએ એક પંડિત મહિલાને ગોળી મારી દીધી હતી. શિક્ષિકા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
#UPDATE | Injured woman teacher, a Hindu & resident of Samba (Jammu division) succumbed to her injuries. Terrorists involved in this gruesome terror crime will be soon identified & neutralised: Kashmir Zone Police
કાશ્મીર પોલીસના અધિકારીએ જણાવ્યું કે કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક મહિલા શિક્ષક પર ગોળીબાર કર્યો. શિક્ષકનું નામ રજનીબલ છે. તે સાંબાની રહેવાસી હતી અને તેના પતિનું નામ રાજકુમાર છે. આ સમયે તેણી કુલમના ચવલગામમાં હતી અને તેની ફરજ ગોપાલપુરામાં ચાલી રહી હતી.