જેમ જેમ પાકિસ્તાનની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ત્યાંની રાજનીતિમાં નવા રંગ જોવા મળી રહ્યા છે. કોઈ પાર્ટી ભારતને મુદ્ધો બનાવીને ચૂંટણી લડી રહી છે તો કોઈ નેતા જીત્યા બાદ ભારત આવીને માથુ ટેકવાની વાત કરી રહ્યા છે. તાજા મામલામાં આતંકવાદી સંગઠન હરકત ઉલ મુજાહિદ્દીને ઈમરાનખાનની પાર્ટી તહરીક એ ઈંસાફને સમર્થન કરવા માટે કહ્યુ છે.
હરકત ઉલ મુજાહિદ્દીનના સંસ્થાપક ફજલુર રહેમાન ખલીલે એલાન કર્યુ છે કે તેમનું સંગઠન પાકિસ્તાની ચૂંટણીમાં ઈમારાન ખાનની પાર્ટી પીટીઆઈને સમર્થન કરશે. પીટીઆઈના વરિષ્ઠ નેતા અને ઉપાધ્યક્ષ અસદ ઉમરે કહ્યુ કે હરકત ઉલ મુજાહિદ્દીને પોતાની ફેસબુક પોસ્ટ મારફતે એલાન કર્યુ છે. તેઓએ પોતાની પોસ્ટમા ઉર્દુમાં લખ્યું છે કે તેમના અનુયાયી ઈસ્લામાબાદની સંસદીય સીટ પર ઉમરનું સમર્થન કરે. તેમણે લખ્યુ છે કે તેઓ પીટીઆઈમાં શામેલ થયા છે. વધુમાં તેઓએ લખ્યુ છે કે ખલીલ પાકિસ્તાનને એક સાચા ઈસ્લામી લોકતંત્રિક દેશ બનાવવા માટે પીટીઆઈના પગલાઓને મજબૂત કરશે.
ત્યારે સોશિયલ મીડિયામાં આ ખબર ફેલાયા બાદ ઉમરે પણ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે ખલીલે પીટીઆઈને પોતાનું સમર્થન આપ્યુ છે. સાથે ખલીલે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને જણાવ્યુ હતુ કે તેઓ ઉમરને સમર્થન કરશે. તેના માટે તેઓએ રવિવારે એક બેઠક પણ આયોજિત કરી હતી. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 25 જૂલાઈએ ચૂંટણી થવાની છે.