એક ઓનલાઈન મેગેઝીન કવરમાં ભગવાન શિવના અપમાનજનક ફોટાને લઈને હિન્દુ સંગઠનો ગુસ્સે છે. સ્થિતિને જોતા કર્ણાટક સરકારે મુરુડેશ્વર મંદિરની સુરક્ષા કડક કરી દીધી છે.
ISIS એ ભગવાન મહાદેવની ખંડિત મૂર્તિની તસવીર છાપીને આપી ધમકી
કર્ણાટક સરકારે મંદિરની સુરક્ષા વધારી દીધી છે
ISIS દ્વારા શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યાં છે.
ISIS એ ભગવાન મહાદેવની ખંડિત મૂર્તિની તસવીર છાપીને આપી ધમકી
આતંકવાદી સંગઠન ISISના દ્વારા એક ઓનલાઈન મેગેઝીનના કવર પેજ પર ભગવાન શિવની એક મૂર્તિનો ફોટો મૂક્યો છે, જેનું માથું ગાયબ છે. આ મૂર્તિ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના મુરુદેશ્વરા નગરના દરિયા કિનારે આવેલી 123 ફૂટ ઊંચી શિવ પ્રતિમાને મળતી આવે છે. તે ખૂબ જ પ્રખ્યાત તીર્થ સ્થળ છે. લોકો આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, જેના કારણે ઘણી જગ્યાએ તણાવ પણ જોવા મળી રહ્યો છે.એક મિડીયા રિપોર્ટ અનુસાર, શેર કરાયેલા આ ફોટોથી કર્ણાટકના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ તટીય જિલ્લા ઉત્તર કન્નડમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. આતંકવાદી સંગઠનના ઓનલાઈન પ્રચાર મેગેઝિન 'ધ વોઈસ ઓફ હિંદ'ના ફ્રન્ટ કવર પર શિવાની મૂર્તિનો શિરચ્છેદ કરવામાં આવ્યો છે.
કર્ણાટક સરકારે મંદિરની સુરક્ષા વધારી દીધી છે
આ તસવીરને અંશુલ સક્સેનાએ પોસ્ટ કરી છે .જેમાં એક ઓનલાઈન મેગેઝીન કવરમાં ભગવાન શિવના આવા ફોટોને લઈને હિન્દુ સંગઠનો નારાજ છે. સ્થિતિને જોતા કર્ણાટક સરકારે મુરુડેશ્વર મંદિરની સુરક્ષા કડક કરી દીધી છે. મુરુડેશ્વર ભટકલ નગરના દરિયાકાંઠાના શહેરની ખૂબ નજીક આવેલું છે, જે ભારતીય ગુપ્તચર એજન્સીઓની સતત દેખરેખ હેઠળ છે. આતંકવાદી યાસીન ભટકલ આ શહેરનો રહેવાસી છે.
ISIS દ્વારા શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યાં છે.
ISISનું નિશાન માત્ર હિંદુ સમુદાય જ નહીં પરંતુ મુસ્લિમો પણ છે. થોડા દિવસો પહેલા આંતકવાદી સંગઠનને ધમકી આપી હતી કે, આંતકવાદી જૂથ આખી દૂનિયાના શિયા મુસ્લિમોને નિશાન બનાવશે. ઈસ્લામિક સ્ટેટે શિયા મુસ્લિમોને ખતરનાક ગણાવ્યા આઈએસના સાપ્તાહિક અખબારમાં આ ચેતવણી પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શિયા મુસ્લિમોને તેમના ઘરો અને કેન્દ્રો પર નિશાન બનાવવામાં આવશે.