બુધવારે રાતે આતંકવાદીઓએ ભાજપના એક કાઉન્સિલરની ગોળી મારી હત્યા કરી છે.
ગોળીબારીમાં રાકેશના મિત્રની દીકરી ઘાયલ થઈ છે
આતંકવાદીઓએ ભાજપના એક કાઉન્સિલરની ગોળી મારી હત્યા
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઘટનાની નિંદા કરી
આતંકવાદીઓએ ભાજપના એક કાઉન્સિલરની ગોળી મારી હત્યા
જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બુધવારે રાતે આતંકવાદીઓએ ભાજપના એક કાઉન્સિલરની ગોળી મારી હત્યા કરી છે. ભાજપના કાઉન્સિલર રાકેશ પંડિત પર હુમલો તે સમયે થયો જ્યારે તે સુરક્ષા વગર મિત્રને મળવા માટે ગયા. તેમની સાથે સુરક્ષા માટે 2 પર્સનલ સિક્યુરીટી ઓફિસર્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે આ ઘટના સમયે તે બન્ને સુરક્ષાગાર્ડ તેમની સાથે નહોંતા.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઘટનાની નિંદા કરી
પોલીસે એક પ્રવક્તાને જણાવ્યુ કે 3 આતંકીઓના ગ્રુપે રાતે લગભગ 10.15 વાગે રાજેશ પંડિત પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે રાકેશને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતુ. આતંકવાદીઓને પકડવા માટે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે.
ગોળીબારીમાં રાકેશના મિત્રની દીકરી ઘાયલ થઈ
આતંકવાદીઓની ગોળીબારીમાં રાકેશના મિત્રની દીકરી ઘાયલ થઈ છે તેની સ્થિતિ ગંભીર છે. પોલીસ પ્રવક્તના જણાવ્યાનુસાર માનક સંચાલન પ્રક્રિયાનું ઉલંઘન કરી તે સુરક્ષા વગર દક્ષિણ કાશ્મીર સ્થિત પોતાના પૈતૃક ગામ ગયા હતા. રાજ્યના ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ હુમલાની નિંદા કરી. તેમણે કહ્યુ કે રાકેશ પંકિતની શહાદતને અમે વ્યર્થ નહીં જવા દઈએ. કાશ્મીરમાં આતંકીઓને ખતમ કરી દેવાશે. રૈનાએ આને માનવતા અને કાશ્મીરિયતની હત્યા ગણાવી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ કહ્યુ કે હિંસાની આવી મુર્ખતાપૂર્ણ ઘટનાએ કાશ્મીરને હંમેશા દુઃખ પહોંચાડ્યુ છે.