સામાન્ય રીતે દક્ષિણ ભારત (south india) આતંકી હુમલાઓની દ્રષ્ટિએ દેશના અન્ય ભાગો કરતા ઘણું શાંત ગણાય છે, પરંતુ હવે આતંકવાદીઓ (terrorists) ના ખતરનાક ઈરાદા અહીં પણ પગપેસારો કરી હિંસા ફેલાવવાના છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની તાજેતરની કાર્યવાહીમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
સામાન્ય રીતે દક્ષિણ ભારત (south india) આતંકી હુમલાઓની દ્રષ્ટિએ દેશના અન્ય ભાગો કરતા ઘણું શાંત ગણાય છે, પરંતુ હવે આતંકવાદીઓ (terrorists) ના ખતરનાક ઈરાદા અહીં પણ પગપેસારો કરી હિંસા ફેલાવવાના છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની તાજેતરની કાર્યવાહીમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એનઆઈએની એક ટીમે તામિલનાડુમાં આતંકી સંગઠન રચવાની કોશિશના આરોપમાં 14 શકમંદોની ધરપકડ કરી અને તેમની આકરી પૂછપરછ હાથ ધરી તેમાં આ વિગતો સામે આવી છે.
થોડા સમય પહેલાં જ સાઉદી અરબમાંથી એક સ્પેશિયલ પ્લેન દ્વારા આ 14 આરોપીઓને ચેન્નઈ લાવવામાં આવ્યા હતા. એનઆઈએના અધિકારીઓએ જણાવ્યું કે, આ લોકો તામિલનાડુમાં અંસારુલ્લા નામનું ખતરનાક આતંકી સંગઠન સ્થાપવા માટે ફંડ એકત્ર કરી રહ્યા હતા. ચેન્નઈ અને નાગપટ્ટિનમ જિલ્લાના રહેવાસી હસન અલી અને હરીશ મોહમ્મદ ઘણા લાંબા સમયથી ઈસ્લામિક કટ્ટરવાદી આતંકી સંગઠનોના સીધા સંપર્કમાં હતા.
સુરક્ષા એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ભારતમાં ગુપ્ત રાહે ચાલી રહેલી આતંકી પ્રવૃત્તિ પર બાજનજર રાખીને બેઠી હતી. તેમને જાણવા મળ્યું કે, આ આતંકી સંગઠનોએ સમગ્ર દક્ષિણ ભારતને હચમચાવી દેવા માટે ‘મિશન સાઉથ’ (mission south) શરૂ કર્યું છે. દક્ષિણ ભારતના તમામ ટોચના શહેરોમાં બોમ્બ બ્લાસ્ટથી લઈને અન્ય ભયાનક હુમલાઓ કરવાની યોજના પણ તેઓ બનાવી ચૂક્યા હતા.
ચેન્નઈ ખાતેના સ્લીપર સેલના એક વ્યક્તિ પર શંકા જતા એજન્સીઓએ તેના કૉલ રેકોર્ડ કરી તેનો પીછો કર્યો હતો, જેમાંથી આતંકી સંગઠન સુધી પહોંચવામાં સફળતા મળી હતી. એનઆઈએને આશંકા છે કે, હજુ પણ દક્ષિણ ભારતના કેટલાંક શહેરોમાં આતંકીઓના સ્લીપર સેલ ફેલાયેલા છે અને હાલ તેમનું આ નેટવર્ક તોડવાની કોશિશ ચાલી રહી છે.