જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં સેનાના આતંકીઓએ એક દળ વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે. બારામુલામાં સેુના અને આતંકીઓ વત્તે અથડામણ થઇ છે. જેને જોતાં વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં ચાલુ અમરનાથ યાત્રાની વચ્ચે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષઆ બળો અને આતંકીઓની વચ્ચે એક મોટી અથડામણ થઇ છે. બારામુલાના સોપોરમાં સેના, પોલિસ અને સીઆરપીએફની એક સંયુક્ત કાર્યવાહીમાં બે આતંકીઓને ઘેરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના કારણે સોપોરના બરાથગુંડ વિસ્તારમાં ભારે સુરક્ષાબળોની તૈનાતી કરવામાં આવી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર સેનાના બારામુલામાં બે ત્રણ આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. આ ઇનપુટ પર કાર્યવાહી કરતા સેનાના 22 રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને સીઆરપીએફના વિસ્તારમાં મોટી શોધખોળ અભિયાન શરૂ કર્યું. આ કાર્યવાહી દરમિયાન આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો.
કરારી કાર્યવાહી કરતા સેનાના બે આતંકીઓનો એક મકાનમાં જ ઘેરાવો કરી લેવાયો, ત્યારબાદ વિસ્તારમાં અથડામણ શરૂ થઇ. જાણવા મળી રહ્યું છે કે વિસ્તારમાં સેનાના જવાનોની વધારે ટીમો મોકલવામાં આવી રહી છે, આ ઉપરાંત હિંસક પ્રદર્શનો રોકવા માટે અહીંયા સીઆરપીએફની કડક ઘેરાબંધી પણ કરાવવામાં આવી છે.