નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ દેખાવો પાછળ આતંકીઓ અને આતંકી સંગઠનોની ભૂમિકા હોવાનું બહાર આવી રહ્યું છે. આસામમાં થયેલા હિંસક દેખાવો અને તોફાનો પાછળ પ્રતિબંધિત આતંકી સંગઠન ઉલ્ફાનો હાથ હોવાના પુરાવા સામે આવ્યા છે.
સરકારને પણ એવો શક છે કે આ વિરોધ પાછળ એવાં અનેક અસામાજિક સંગઠનો પણ સક્રિય
આતંકી સંગઠન ઉલ્ફાએ દેખાવકારોને શસ્ત્ર પણ પૂરાં પાડ્યાં
ગુપ્તચર એજન્સીઓએ એવો ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે કે આતંકી સંગઠન ઉલ્ફાએ દેખાવકારોને શસ્ત્ર પણ પૂરાં પાડ્યાં હતાં. ગુપ્તચર એજન્સીઓના દસ્તાવેજો અનુસાર દેખાવકારોને ૬૦ ટકા શસ્ત્ર આપ્યાં હોવાનું બહાર આવ્યું છે. સરકારને પણ એવો શક છે કે આ વિરોધ પાછળ એવાં અનેક અસામાજિક સંગઠનો પણ સક્રિય છે, જેમના પર સરકારની ચાંપતી નજર છે અને અનેક લોકો દેશદ્રોહી પ્રવૃત્તિમાં ધરપકડ થયા બાદ જેલમાં છે. રિપોર્ટ અનુસાર ઉલ્ફાના એક આતંકીએ ડેપ્યુટી ચેરમેન પ્રદીપ ગોગોઇએ આંદોલનકારીઓને શસ્ત્ર પૂરાં પાડ્યાની વાત જણાવી છે.
પ્રદીપ ગોગોઇ ૧૧ ડિસેમ્બરે આસામના લાકુવા શિવસાગરમાં પોતાના સાથીઓ સાથે વિરોધ દેખાવમાં જોડાયા હતા. એ જ રીતે વિરોધ દેખાવો દરમિયાન થયેલ હિંસામાં કહેવાતી ભૂમિકાને લઇ ઇસ્લામિક સંગઠન સીએફઆઇની આસામના એકમના વડા અમીનુલ હક અને એક અન્ય પદાધિકારીની ધરપકડ કરવામાં આવી છે.