બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Terrorist Attack: જમ્મુનાં નરગોટામાં યુદ્ધવિરામ બાદ આતંકવાદી હુમલો, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો
Last Updated: 11:58 PM, 10 May 2025
જમ્મુ અને કાશ્મીરના નારગોટામાં યુદ્ધવિરામ ભંગ દરમિયાન આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના નારગોટામાં યુદ્ધવિરામ ભંગ દરમિયાન આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની માહિતી મળતાં, સેના અને પોલીસની સંયુક્ત ટુકડીએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે ત્યાર બાદ આતંકવાદી હુમલો નહી પરંતુ અન્ય કોઇ શંકાસ્પદ ગતિવિધિ હોવાની માહિતી સામે આવી રહી હતી. હાલ તો એએનઆઇએ ટ્વીટ કરીને વધારે માહિતીની રાહ જોવાઇ રહી હોવાનું જણાવ્યું હતું. જો કે બીજી તરફ PIB દ્વારા આ દાવાને નકારવામાં આવી રહ્યો છે. હાલ તો અધિકારીક માહિતીની રાહ જોવાઇ રહી છે.
ADVERTISEMENT
પાકિસ્તાને શ્રીનગરને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, એક પછી એક આઠ વિસ્ફોટ થયા
અગાઉ, પાકિસ્તાને શનિવારે યુદ્ધ વિરામ છતા શ્રીનગરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, એક પછી એક વિસ્ફોટથી શહેરમાં ભયનો માહોલ સર્જાયો. પહેલો વિસ્ફોટ સવારે લગભગ 5:30 વાગ્યે થયો હતો. જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. આ પછી, લગભગ એક થી દોઢ કલાકમાં આઠ જોરદાર વિસ્ફોટ થયા.
ADVERTISEMENT
#WATCH | Search operation by security forces underway in Nagrota, J&K
— ANI (@ANI) May 10, 2025
Firing incident was reported at an Army unit in Nagrota. As per Sentry, suspicious movement was seen, but there has been no further contact after initial engagement. Further investigations are on in the… https://t.co/8lUcM3RaKw pic.twitter.com/1ivjoh8Zuz
ઓલ્ડ એરફિલ્ડ નજીક બે મોટા વિસ્ફોટ સંભળાયા
સમાચાર આવવા લાગ્યા કે, શ્રીનગર એરફિલ્ડ, જેને ટેકનિકલ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, પર હુમલો કરવામાં આવ્યો છે. વિસ્ફોટો પછી તરત જ, ઘણા ભાગોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ. સૂત્રોએ જણાવ્યું હતું કે, બપોરે શહેરના શ્રીનગર ઓલ્ડ એરફિલ્ડ નજીક બે મોટા વિસ્ફોટો સંભળાયા હતા. કેટલાક વિસ્તારોમાં સાયરનનો અવાજ પણ સંભળાયો હતો. આ દરમિયાન, શ્રીનગરના ઓલ્ડ એરફિલ્ડ પર એર ડિફેન્સ સિસ્ટમે એક ડ્રોનને તોડી પાડ્યું.
ડાલ લેકમાં મિસાઇલ જેવી વસ્તુ પડી
સવારે થયેલા જોરદાર વિસ્ફોટો પછી, ડાલ લેકમાં એક મિસાઇલ જેવી વસ્તુ પડી. આ પછી તળાવમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો આર્મી હેડક્વાર્ટર પર હતો, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો અને તેનો કાટમાળ તળાવમાં પડ્યો હતો. બાદમાં સેનાના જવાનોએ તળાવમાંથી કાટમાળ બહાર કાઢ્યો હતો.
સોશિયલ મીડિયાએ ભય વધાર્યો
શહેરમાં થયેલા વિસ્ફોટો પછી, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. શ્રીનગરની બહારના લાસજનમાં એક ઘરના આંગણામાં મિસાઇલનો એક ભાગ પડતો પણ જોવા મળ્યો હતો.
30 વર્ષમાં આટલો ભયાનક અવાજ નહોતો જોયો
ઘટના પછી, સ્થાનિક રહેવાસી આબિદ ઝહૂરે કહ્યું કે અચાનક અવાજો સંભળાયા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તે હવાઇ વિસ્ફોટ હતો, પરંતુ અનેક વિસ્ફોટોના અવાજ સાંભળ્યા પછી, પરિવારના બધા સભ્યો ગભરાઈ ગયા. બાળકો અને મહિલાઓ વધુ ડરી ગયા. અન્ય એક સ્થાનિક રહેવાસી જાવેદ અહેમદ ટાકે કહ્યું કે તેમણે 30 વર્ષમાં ક્યારેય આટલો ગભરાટ જોયો નથી. આ અનિશ્ચિતતાનો સમયગાળો છે, કોઈને સમજાતું નથી કે આગળ શું થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.