જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં CRPF પર થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે દેશમાં જ નહી પરંતુ બોલિવુડમાં પણ ખૂબ જ દુખ અને ગુસ્સો છે. બધા જ બોલિવુડ સેલિબ્રેટીઝએ આ હુમલાની નિંદા કરી છે અને આતંકવાદ માટે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે.
આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા છે. જવાનોના શહીદ થયા પછી દેશ સાથે સેલિબ્રેટીઝ પણ તેમના પરિવારને મદદ માટે આગળ આવી રહ્યા છે.
Thank you @BeingSalmanKhan on offering to contribute for Pulwama Martyrs through BEING HUMAN FOUNDATION. I'll work out for handing over of the cheques in the account of #BharatKeVeer@BharatKeVeer
ત્યારે બોલિવુડનો સુપરસ્ટાર સલમાન ખાન પોતાના NGO બીંઇગ હ્યુમન ફાઉન્ડેશન તરફથી શહીદોના પરિવારોની મદદ માટે આગળ આવ્યા છે. સલમાનની આ રજૂઆતની ભારતના ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરીને સલમાનનો આભાર માન્યો છે કે ''તેઓ જાતે જ ધ્યાન રાખશે કે સલમાનના બીંઇગ હ્યુમન તરફથી મળેલી મદદ શહીદોના પરિવાર સુધી પહોંચાડવામાં આવે.''
ઉલ્લેખનીય છે આ પહેલા ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રઈક’ની ટીમે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને 1 કરોડ રૂપિયાની મદદ કરશે. ટીમે આર્મી વેલફેર ફંડમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા તો અમિતાભ બચ્ચન તરફથી પણ જાણકારી આવી હતી કે તેઓ શહીદોના પરિવારજનો 5-5 લાખ રૂપિયા આપીને મદદ કરશે.