જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુલશન ચોક ખાતે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો.
જમ્મુ કશ્મીરના બાંદીપોરામા આતંકી હુમલો
હુમલામાં ઘાયલ પોલીસ કર્મી થયા શહીદ
બે પોલીસ કર્મીઓ થયા હતા ઇજાગ્રસ્ત
આ હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બે જવાન ખરાબ રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેમને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો
હાલ હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. આતંકીઓને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધનું અભિયાન તેજ કર્યું છે. જેના કારણે આતંકીઓ હવે ઓચિંતો હુમલો કરીને સૈનિકો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાઓ દ્વારા આતંકવાદીઓની નિરાશા દેખાઈ રહી છે. જોકે, ભારતીય સેના તેમને જડબાતોડ જવાબ આપી રહી છે.
Two policemen were injured after terrorists attacked them in Gulshan Chowk area of North Kashmir's Bandipora district.
તે જ સમયે, તાજેતરમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 1,033 આતંકવાદી હુમલા થયા છે. તેમાંથી 2019માં સૌથી વધુ 594 બનાવો નોંધાયા હતા. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં 244 આતંકવાદી હુમલા થયા હતા, જ્યારે ચાલુ વર્ષમાં 15 નવેમ્બર સુધી આવી 196 ઘટનાઓ નોંધાઈ હતી.
જો દિલ્હીમાં આવી એક ઘટનાને પણ યાદીમાં સામેલ કરવામાં આવે તો 2019 થી 2021 (મધ્ય નવેમ્બર સુધી) દેશમાં આવી કુલ 1,034 ઘટનાઓ બની હતી. અજય ભટ્ટે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના જવાનો સહિત કુલ 177 જવાનો આતંકવાદ વિરોધી ઓપરેશનમાં શહીદ થયા હતા. તેમણે કહ્યું કે 2019માં 80, 2020માં 62 અને ચાલુ વર્ષમાં 35 (15 નવેમ્બર સુધી) મૃત્યુ પામ્યા.