જમ્મુ કાશ્મીર કાંદીઝલ બ્રીજ પાસે આતંકીઓએ CRPF ના જવાનો પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી, જેમાં સૂત્રો એ આપેલી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 3 જવાનો ઘાયલ થયા છે, અને બે જવાનો શહીદ થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં ફરી વાર આતંકી હુમલો
CRPF અને J&K પોલીસ ના જવાનો હતા સામેલ
પુલવામા જીલ્લાના જ પમ્પોર બાયપાસ પર બની ઘટના
જમ્મુ કાશ્મીર માં સેનાના જવાનો પર હિચકારો આતંકી હુમલો બન્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કાશ્મીરમાં પંપોર બાયપાસ પાસે CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ ફોર્સ ના જવાનોનો સંયુક્ત કાફલો જઈ રહ્યો હતો. કાંદીઝલ બ્રીજ ની રોડ ઓપનિંગ ડયુટી કરવા માટે આ કાફલા ને જવાબદારી સોંપવામાં આવી હતી.
#UPDATE Of the five CRPF jawans, who were injured after terrorists fired upon the Force's road opening party (ROP), two jawans lost their lives. More details awaited. #JammuAndKashmirhttps://t.co/zIZ5pHKXw2
ફરી એ જ પુલવામા જીલ્લો, જ્યાં 40 જવાનો શહીદ થયા હતા
તે સમયે આતંકવાદી હુમલો થવાની ઘટના બની હતી. આ પંપોર એ એ પુલવામા જિલ્લામાં આવેલું છે જ્યાં અગાઉ પણ CRPF ની બટાલિયન પર હુમલો થયો હતો. તે હુમલામાં 40 બહાદુર જવાનો શહીદ થઈ ગયા હતા. જે બાદ બદલો લેવા માટે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
ફર થી જ એ જ વિસ્તારોમાં સુરક્ષા જવાનો પર આતંકવાદી હુમલો થતાં હવે સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થઈ શકે છે. આ વિસ્તારોમાં આતંકવાદનું ફરીથી ઊભું થવું તે ભારતની સુરક્ષા માટે ચેલેન્જ બની શકે છે.
આ હુમલો CRPF ની 110 મી બટાલિયન પર કરવામાં આવ્યો હતો, રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં તેના 5 જવાનો ઘાયલ થવાની જાણકારી મળી છે, સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ સંપૂર્ણ વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.
પાકિસ્તાન કરાવે છે ઘૂસણખોરી, ચીન નો છે સપોર્ટ
ભારત હાલમાં કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ભારતનું અર્થતંત્ર હાલ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. GDP માં 23.9 ટકાનો ઘટાડો નોંધાતા ઈકોનોમીની હાલત હાલ વેન્ટિલેટર પર હોય તેવુ કહી શકાય, તેવામાં બેરોજગારી એ બિહામણું રૂપ ધારણ કરતા મોદી સરકાર સામે પડકારો વધી રહ્યા છે.
આ સમયે ભારતને ભીડવવા માટે લદ્દાખ સરહદ પર ચીન દ્વારા એક નવો મોરચો ખોલવામાં આવ્યો છે. જેમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ગલવાન ઘાટીમાં લોહિયાળ સંઘર્ષ થયો હતો, જેમાં પણ ચીનને મોઢાની ખાવી પડી હતી. જો કે ભારતના પક્ષે પણ 20 બહાદુર જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ચીન પ્રત્યે દેશની જનતામાં આક્રોશ વધી ગયો હતો, અને ચીની પ્રોડક્ટસના બૉયકોટનો આંદોલન શરૂ કર્યું હતું.
ભારત સરકાર એ પણ ચીની એપ્સ બેન, ચીની રોકાણ ને બેન કરવા જેવા પગલાં લઈને ચીનને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ સમયે ચીન પાકિસ્તાન પર દબાણ કરીને ભારતને બે નજી થી ભીડવવા માંગે છે. અને ચીનનું ઓશિયાળૂ પાકિસ્તાન પણ તે જ કામગીરી કરી રહ્યું હોવાનું સ્પષ્ટ છે.