જમ્મૂ કાશ્મીરમાં 15મી ઓગસ્ટ પહેલા મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. શ્રીનગરનાં બહારના વિસ્તારમાં આતંકવાદીઓના હુમલામાં બે પોલીસ જવાનો શહીદ થઇ ગયા છે જયારે એક જવાન ઈજાગ્રસ્ત છે.
શ્રીનગરના બહારના વિસ્તારમાં પોલીસની ટીમ પર હુમલો, બે જવાન શહીદ
એક જવાન ઈજાગ્રસ્ત, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ
આતંકવાદીઓએ ગોળીઓ વરસાવતા આખા કાશ્મીરમાં હલચલ તેજ
જમ્મૂ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પહેલા શ્રીનગરના બહારના વિસ્તારમાં નવગામમાં પોલીસની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કરતા બે જવાન શહીદ થયા છે. હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત પણ થયો છે. આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે. આતંકવાદીઓએ 15મી ઓગસ્ટ માટે સુરક્ષામાં તૈનાત પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. શ્રીનગરના નૌગામ બાયપાસ પર શુક્રવારે સવારે આ હુમલો કરવામાં આવ્યો.
કાશ્મીર ઝોનમાં પોલીસ અનુસાર નૌગામમાં બાયપાસના નાકા પર આતંકવાદીઓએ પોલીસ પર ગોળીઓ વરસાવી. અને આ હુમલામાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત થઇ ગયા જે બાદ હોસ્પિટલમાં જે જવાનો શહીદ થઇ ગયા છે. ભારતમાં આઝાદી દિવસના એક જ દિવસ પહેલા કરવામાં આવેલ આ હુમલાના કારણે આખા કાશ્મીરમાં હલચલ તેજ થઇ ગઈ છે. આ પહેલા ગુરુવારે શ્રીનગરના શહીદગંજમાં આતંકવાદીઓ હોવાના ઈનપુટ મળતા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
તે આખા વિસ્તારમાં પોલીસ સર્ચ ઓપરેશન કર્યું પરંતુ હજુ કોઈ અથડામણ થઇ નથી. નોંધનીય છે કે શનિવારે આઝાદી દિનને લઈને શ્રીનગર સીટીમાં મુખ્ય કાર્યક્રમ આયોજિત થવાનો છે જ્યારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ધ્વજારોહણ કરશે.