જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ રોકાવાનું નામ લઇ રહી નથી. હવે કુલગામમાં આતંકીઓએ ભાજપ યુવા મોરચાના મહાસચિવ સહીત ત્રણ ભાજપ નેતાઓની હત્યા કરી નાખી છે. ફિદા હુસૈન ભાજપ યુવા મોરચાના મહાસચિવ હતા, આતંકીઓએ તેમની સહિત અન્ય બે નેતાઓની પણ હત્યા કરી નાખી હતી.
જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો
ત્રણ ભાજપ નેતાઓની ગોળી મારીને હત્યા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં કરાઇ હત્યા
કુલગામ પોલીસ ને રાત્રે 8 વાગ્યે આ હુમલાની સૂચના મળી હતી, જેને લઈને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.જે ત્રણ નેતાઓની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે તેમની ઓળખાણ ફિદા હુસૈન, રશીદ બેગ, અને અબ્દેર રશીદ બેગ તરીકે કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. જો કે તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા.
પોલીસ ગુન્હો નોંધ્યો
પોલીસે આ અંગે કાયદા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલમાં તપાસ ચાલુ છે. હાલમાં આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ગયા મહિને મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં પણ ભાજપના એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર અને બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલર (BDC) બ્લોક ખગને કથિત રીતે તેમના ઘરે ગોળી મારી દેવાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ખગ બડગામના BDC પ્રમુખ અને શાસક ભાજપના સરપંચ ભુપિંદર સિંહને તેમના નિવાસ સ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF એ લીધી છે.
કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાને ભાજપ ના આગેવાનો છે
જ્યારે ઓગસ્ટ મહિનામાં ભાજપ નેતા સજ્જાદ અહેમદને દક્ષિણ કાશ્મીરના કુલગામમાં જ આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મહિનાની ચોથી તારીખે કાજીગુંડના અખરણ વિસ્તારમાં મીર બજારમાં આતંકવાદીઓ દ્વારા ભાજપના સરપંચ આરીફ અહેમદને ઠાર મારવામાં આવ્યા હતા.
જુલાઇમાં જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ દ્વારા ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરવામાં આવી હતી. આતંકીઓએ વસીમ બારી અને તેના પિતા અને ભાઈ ઉપર પણ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ત્રણેયનું મોત નીપજ્યું હતું. બીજેપી નેતા તેના પિતા અને ભાઈ સાથે દુકાન પર હતા ત્યારે જ આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું.