આતંકવાદીઓએ પુલવામાના કાકાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ તેઓ લક્ષ્ય ચૂકી ગયા હતા અને ગ્રેનેડ રસ્તા પર જ ફૂટ્યો હતો. જેના કારણે આ ઘટનામાં 12 સ્થાનિક લોકો ઘાયલ થયા છે.
જમ્મુ કાશ્મીરમાં ફરી થયો આતંકી હુમલો
CRPF જવાનો પર હેન્ડ ગ્રેનેડથી કરાયો હતો હુમલો
ગ્રેનેડ ફંટાઈને રસ્તા પર ફાટતાં 12 નાગરિકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 12 સ્થાનિક લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ પુલવામાના કાકાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ તેઓ લક્ષ્ય ચૂકી ગયા હતા અને ગ્રેનેડ રસ્તા પર જ ફૂટ્યો હતો.
ફરીથી પુલવામામાં જ આતંકી હુમલો
મહત્વ નું છે કે શુક્રવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં ઉરી સેક્ટરથી ગુરેઝ સેક્ટર સુધી નિયંત્રણ રેખાની બાજુમાં અનેક સ્થળો પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ સમય દરમ્યાન, ગોળીબારમાં ચાર સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. ઉપરાંત વધુ છ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
10 નવેમ્બરના રોજ સુરક્ષા દળોએ શોપિયાંના કુતપોરા વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષાદળોને આતંકવાદીઓને છુપાવવાનો ઇનપુટ મળ્યો હતો. આ પછી, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
ભારે હિમવર્ષા અને હિમપ્રપાત
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને હિમપ્રપાત સરહદની સુરક્ષા કરી રહેલા સૈનિકો માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે. બુધવારે સવારે ઉત્તર કાશ્મીરના કુપવાડામાં હિમપ્રપાત થતાં એક બે જવાનો ઘાયલ થયા હતા.