જમ્મુ-કશ્મીરના પુલવામાં 12 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં CRPF 44 જેટલા સેનાના જવાનો શહિદ થયા હતા. જે બાદ ભારતીય વાયુ સેના દ્વારા એરસ્ટ્રાઇક કરી વળતો જવાબ આપવામાં આવ્યો હતો જેમાં 300 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો, જ્યારે આતંકીઓ દ્વારા જમ્મુ કશ્મીરમાં વારે તહેવારે હુમલાઓ કરવામાં આવે છે. જ્યારે પુલવામામાં ફરી એક વાર આતંકીઓએ CRPF કેમ્પને નિશાન બનાવ્યું અને ગ્રેનેડથી અટેક કર્યો.
જમ્મૂ-કશ્મીરના પુલવામામાં ફરી એક વાર આતંકીઓએ CRPFના જવાનોને નિશાન બનાવ્યા છે. આંતકીઓએ CRPF કેમ્પને નિશાન બનાવ્યું અને ગ્રેનેડથી અટેક કર્યો. જેમાં CRPFના એક જવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો ઘટના બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષાબળના જવાનોએ ઘેર્યો હતો અને સર્ચ ઓપેરશન પણ હાથ ધર્યું.
દક્ષિણ કશ્મીરના પુલવામામાં ફરી આતંકી હુમલો, પુલવામામાં ફરી એક વાર CRPF કેમ્પ પર આતંકી હુમલો, આતંકી હુમલામાં CRPFના એક જવાન ઈજાગ્રસ્ત, પુલવામાના ત્રાલમાં CRPF કેમ્પ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ અટેક, નેકાના ઉમેદવાર હસનૈન મસૂદીની સબા ખતમ થયા બાદ હુમલો pic.twitter.com/rP2jEtKRCo
પ્રાપ્ત વિગતો મુજબ, ત્રાલમાં 180 બટાલિયન CRPFનું કેમ્પ છે. રાતમાં આતંકીઓએ યુ.બી.જી.એલથી ગ્રેનેડ અટેક કર્યો હતો. ત્યારે ડ્યૂટી પર તૈનાત કોન્સ્ટેબલ ટી.એલ.પ્રસાદ ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ત્રાલમાં નેકાના ઊમેદવાર હસનૈન મસૂદીની જનસબા બાદ આતંકીઓએ ગ્રેનેડ અટેક કર્યો હતો. જોકે, સદનસીબે આ આતંકી હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.