ભારતમાં 2019 દરમિયાન લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન ફિદાયીન હુમલા કરવા માટે પાકિસ્તાનમાં કેટલાંક આતંકીવાદી ટ્રેનિંગ કેમ્પ બનાવવમાં આવ્યા છે. આ જ ટ્રેનિંગ કેમ્પમાં મુંબઈના મિર્ઝા ફૈઝલ ખાનને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.
મિર્ઝાને મહારાષ્ટ્ર ATSએ ગત અઠવાડિયે પકડી પાડયો છે. મહારાષ્ટ્ર ATS ચીફ અતંલચંદ્ર કુલકર્ણીનું કહેવું છે કે મિર્ઝાની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેને અને તેના અન્ય સાથીઓને મુંબઈ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ફિદાયની હુમલા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
તો પ્રાપ્ત વિગતો મુજબ આ તમામ હુમલા અત્યારે એટલા માટે નથી થયા કારણકે મિર્ઝા સહિત ભારત મોકલવામાં આવેલા ફિદાયની આતંકવાદીઓને હજુ સુધી હથિયાર મળ્યા નથી. એવું પણ સામે આવ્યું છે કે નેપાળના રસ્તે ભારતમાં હથિયાર મોકલી દેવાયા છે. જ્યાં સુધીમાં આ હથિયાર મિર્ઝા ફૈઝલ સુધી પહોંચે તે પહેલાં તે ઝડપાઈ ગયો. તેની ધરપકડના સમાચાર બાદ તેના બે સાથીઓ મૂંબઈથી ભૂગર્ભમાં ઉતરી ગયા. મિર્ઝાએ પૂછપરછમાં જણાવ્યું કે પાકિસ્તાનમાં તમામ આતંકવાદી સંગઠન યુનાઈટેડ જિહાદ કાઉન્સિલ અંડર કામ કરે છે. આ સંગઠનને ISISનું સમર્થન છે.
ઉલ્લેખનીય છે કે કાઉન્સિલ ક્યારેક લશ્કર-એ-તૈયબા હિઝબૂલ જૈશ-એ-મોહમ્મદ ઈંડિયન મુઝાહિદ્દીનને ભારતમાં હુમલા માટે પ્રેરિત કરે છે. કયા આતંકવાદી સંગઠનને ભારતના કયા શહેરમાં હુમલો કરવાનો છે તેના માટે પાકિસ્તાનમાં ટોસ ઉછાળવામાં આવે છે. બાદમાં આ ટ્રેનિંગ કેમ્પમાં ભારતથી બોલાવેલા કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના યુવકોને આતંકવાદી ટ્રેનિંગ આપવામાં આવે છે.