લક્ષ્મીનગર વિસ્તારમાંથી ઝડપાયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અશરફે પુછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે. પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર 2021 માં દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા બ્લાસ્ટની પહેલા આ આતંકીએ પરિસરમાં રેકી કરી હતી. જો કે આ વિસ્ફોટમાં શામેલ હતો કે નહીં એ પૂછપરછમાં સ્પષ્ટ થશે.
પોલીસ મુખ્યાલયની અનેકવાર રેકી કરી
2011ની આસપાસ, તેમની આઈટીઓ સ્થિત પોલીસ મુખ્યાલયની અનેકવાર રેકી કરી, પરંતુ વધારે જાણકારી નથી આપી શક્યા, કેમ કે પોલીસે લોકોને પરિસરની બહાર રોકાવા નહોંતો દીધો. આ સાથે તેમણે પાકિસ્તાનમાં પોતાના આકાઓને આઈએસબીટીની જાણકારી મોકલી. હાલમાં તપાસ એજન્સી તેની પુછપરછ કરી રહી છે કે શું તે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં સામેલ હતો.
અશરફે કર્યા અનેક મહત્વના ખુલાસા
અત્યાર સુધીની પુછપરછમાં જાણવા મળ્યું છે કે 2009માં જમ્મુના બસ સ્ટેન્ડ પર વિસ્ફોટ થયો હતો. જેમાં 3-4 લોકોના મોત થયા હતા . જેને આઈએસઆઈ અધિકારી નાસિરના ઈશારા પર આકાર આપવામાં આવ્યો હતો. અશરફે ખુલાસો કર્યો કે 2011માં દિલ્હી હાઈકોર્ટ બ્લાસ્ટને અંજામ આપવા માટે બે પાકિસ્તાની આવ્યા હતા. તેમાંથી એકનું નામ ગુલામ સરવર હતુ. તેણે જમ્મુ કાશ્મીરમાં સેનાના 5 જવાનોની નૃશંસ હત્યામાં સામેલ થવાની વાત કબૂલી.
અશરફે કહ્યું કે આઈએસઆઈ અધિકારી નાસિરના કહેવા પર તે અનેક વાર જમ્મુ કાશ્મારમાં હથિયાર સપ્લાય કરવા ગયા હતા. તેમણે આગળ ખુલાસો કર્યો છે કે તે હંમેશા ઈ મેલના માધ્યમથી આઈએસઆઈ અધિકારીઓ સાથે સંવાદ કરતા હતા.