જમ્મૂ કશ્મીરના બાંદીપુર CRPF કેમ્પ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 4 આતંકી ઠાર થયા છે. બાંદીપુરામાં CRPFની 45મી બટાલીયનના કેમ્પ પર આ હુમલો થયો છે. આતંકીઓ અને સુરક્ષાદળના જવાન વચ્ચે અથડામણ ચાલુ છે. અને આ અથડામણમાં 4 આતંકી ઠાર થયા છે. આતંકીઓની લાશ પણ મળી આવી છે. અને તેની પસોથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે.
આ હુમલો સંભલમાં આવેલા CRFPની 45મી બટાલયિન કેમ્પ કરવામાં આવ્યો છે. જો કે જવાનોએ કરેલી જવાબી કાર્યવાહીને કારણે તમામ જવાનો સુરક્ષિત છે. કલાકો સુધી ચાલેલી કાર્યવાહીમાં સેનાએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. જયારે સંપૂર્ણ વિસ્તારની ઘેરાબંધી કરીને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.