શ્રીનગરઃ જમ્મુ કશ્મીરમાં આતંકી પ્રવૃતિમાં સતત વધારો થઈ રહ્યો છે. આતંકવાદીઓએ વધુ એક યુવકનું અપહરણ કરીને તેની હત્યા નિપજાવી છે. અપહરણ કરેલા યુવકનું ગળુ કાપીને આતંકીઓએ તેની હત્યા નિપજાવી છે. જમ્મુ કશ્મીરમાં બે દિવસમાં બીજી ઘટના બની છે.
અગાઉ પણ શુક્રવારે પુલવામામાં આતંકીઓએ 11માં ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. વિદ્યાર્થી જાસુસી કરતો હોવાની આશંકાએ આતંકીઓએ તેની હત્યા કરી હતી. ત્રણ દિવસમાં આતંકીઓએ ત્રણ નાગરીકોનું અપહરણ કરીને હત્યા નિપજાવાની ઘટના બનતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાએ આતંકવાદીઓની પ્રવૃતિને કાયરતા ગણાવી છે. તો એનપીપીના નેતા ભીમસિંહે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.