મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદના જમાત-ઉદ-દાવા અને તેના અન્ય સંગઠન ફતાહ - એ - ઈન્સાનિયત ફાઉન્ડેશનને પાકિસ્તાને હજુ સુધી પ્રતિબંધિત કર્યુ નથી. પરંતુ આ બંને આતંકી સંગઠનને મોનિટર યાદીમાં નાખવામાં આવ્યા છે.
જો આ વચ્ચે પાકિસ્તાન સરકારે સોમવારે એક વધારે જુઠ્ઠાણુ બોલતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) તરફતી પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો છે.
જો કે, પાકિસ્તાને થોડા સમય પહેલા આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કાયદાની વેબસાઈટ મુજબ, બંને આતંકી સંગઠનોને આતંકવાદ વિરોધી અધિનિયમ 1997ની બીજી અનૂસૂચીની કલમ 11D-1 હેઠળ ગૃહમંત્રાલયના મોનિટરિંગ હેઠળ મૂકવામા આવ્યા છે.
આ વેબસાઈટ ગયા સોમવારે જ અપડેટ થઈ છે. NCTAની વેબસાઈટ મુજબ, બંને આતંકી સંગઠનોને મોનિટર યાદીમાં નાખવાની સૂચના 21મી ફેબ્રઆરીએ જાહેર કરવામાં આવી હતી. આ પહેલા વેબસાઈટ મુજબ બંને આતંકી સંગઠનને જાન્યુઆરી 2017માં મોનિટર યાદીમાં મૂકવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારી મુજબ, પાકિસ્તાન બંને આતંકી સંગઠન પર પ્રતિબંધ લાદવાના બાબતે જૂઠ્ઠુ બોલી રહ્યુ છે. વાસ્તવમાં વિશ્વને મૂર્ખ બનાવવા માટે માત્ર મોનિટર યાદીની તારીખમાં બદલાવ કર્યો છે.