રાજકોટમાં ભૂમાફિયાઓએ થોડા દિવસ પહેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં કરી હતી. આ તોડફોડમાં અવિનાશ ધુલેશિયા નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી.
રાજકોટમાં ભૂમાફિયાઓના હાથે કારખાનેદારની હત્યા
થોડા દિવસ પહેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં કરી હતી તોડફોડ
મારામારી દરમિયાન અવિનાશ નામના વ્યકિતને પહોંચી હતી ઈજા
રાજકોટમાં ભૂમાફિયાઓના હાથે કારખાનેદારની હત્યા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને તે માટે સોસાયટીની બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી છે. જો કે,થોડા દિવસ પહેલા ભૂમાફિયાઓ ગુંડાઓની 5 જેટલા શખ્સો નશાની હાલતમાં ધસી આવી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અવિનાશ ધુલેશિયા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેનું ગત રોજ ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.
ભૂમાફિયાઓના આતંકના CCTV પણ સામે આવ્યા હતા
થોડા દિવસ પૂર્વે મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જે બાદ પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો ?
છેલ્લા કેટલાય સમયથી ભૂમાફિયાઓની નજર રાધાકૃષ્ણ સોસાયટી પર હતી. ભૂમાફિયાઓ સોસાયટીના રહીશોને મકાન ઓછી કિંમતે વેચી દેવા માટે વારંવાર દબાણ કરતાં હતાં. બીજી તરફ સોસાયટીના રહીશોએ પણ જણાવ્યું કે, ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા 3-4 વર્ષ દરમિયાન મકાન વેચવા માટે દબાણ કરાઈ રહ્યું છે.આમ ગત મંગળવારના રોજ 5 જેટલા ભૂમાફિયાઓએ સોસાયટીના રહીશો પર કર્યો પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી.આ હુમલામાં અવિનાશ ધુલેશિયા નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં ગત રોજ સારવાર દરમિયાન અવિનાશ ધુલેશિયાનું મૃત્યુ થયું છે. હાલ યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને 4 આરોપીને ઝડપ્યા પાડ્યા છે