તસ્કરોએ સુરતમાં તરખાટ મચાવ્યો છે. સુરતના ખરવાસા રોડ પર આવેલા સ્વામી તેજનંદ ચોરીની ઘટના સામે આવી છે. મંદિરને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
મંદિરમાંથી મુગટ મૂર્તિ સિંહાસન સહિતના લાખોના સામાનની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થયા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે CCTVના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.