પોલીસ અને સીઆરપીએફની સાથે એનઆઇએ એ અલગાવવાદી નેતા સજ્જાદ લોનના નજીકના વેપારી આસિફ લોન, તનવીર અહમદ, તારિક અહમદ અને બિલાલ ભટના ઘરે દરોડા પાડ્યા હતા.
ટેરર ફંડિંગ મામલે રવિવારે સવારે એનઆઇએ એ જમ્મુ કાશ્મીરની ચાર જગ્યા પર દરોજા પાડ્યા હતા. સૂત્રો પ્રમાણે એનઆઇએની ટીમે ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ચાર વેપારીઓના ઘરે દરોડા પાડ્યા. પોલીસ અને સીઆરપીએફની સાથે એનઆઇએ એ અલગાવવાજી નેતા સજ્જાદ લોનના નજીકના વેપારી આસિફ લોન, તનવીર અહમદ, તારિક અહમદ અને બિલાલ ભટના ઘરે દરોડા પાડ્યા. દસ્તાવેજ શોધવામાં આવી રહ્યા છે.
National Investigation Agency(NIA) raids underway at 4 locations in Baramulla district of North Kashmir. More details awaited pic.twitter.com/5XvvpcaGTT
એનઆઇએના અધિકારીઓએ મંગળવારે નિયંત્રણ રેખાની પાર વેપાર કરનાર બે વેપારીઓના પરિસરો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા પુલવામા અને શ્રીનગર જિલ્લામાં પાડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ કહ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસના સહયોગથી એનઆિએ અધિકારીઓએ પુલવામા જિલ્લાના કેલેર ક્ષેત્રમાં ગુલામ અહમદ વાનીના ઘરે દરોડા પાડ્યા. સૂત્રોએ કહ્યું કે પ્રશાસન તરફથી એલઓસી પાર વેપારીને 14 ફેબ્રુઆરી 2019એ રદ કરતા પહેલા વાની એમાં સામેલ હતો.
એનઆઇએના સૂત્રોએ કહ્યું, 'એક અન્ય દરોડા શ્રીનગરમાં પરિમપોરા ફ્રુટ માર્કેટમાં પાડવામાં આવ્યા.' આ દરોડા એનઆિએ તરફથી આતંકવાદના ટેરર ફંડિંગની તપાસ અંતર્ગત કરવામાં આવી. એનઆઇએ અત્યાર સુધી કાશ્મીરના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જહૂર વટાલી અને ઘણા અન્ય અલગાવવાદી નેતાઓને પહેલા જ ધરપકડ કરી ચુકી છે.