જમ્મુ કશ્મીર ટેરર ફંડિંગ કેસમાં અનેક અલતાવાદી નેતાઓ સામે UAPA અંતર્ગત આરોપ નક્કી કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. જેમાં તે બિટ્ટા કરાટેનું પણ નામ છે જેણે અનેક કશ્મીરી પંડિતોની હત્યા કરી હતી.
કશ્મીરના ગદ્દારો હવે તમારી ખેર નથી
એક-એકનો થશે સંપૂર્ણ હિસાબ
અલગતાવાદીઓના હવે દિવસો પુરા
કશ્મીરને સળગાવનારા હવે હશે જેલમાં
જેલમાં જિંદગી વિતાવશે હૂર્રિયત નેતાઓ
NIA કોર્ટે કર્યું મોટું ફરમાન
UAPA અંતર્ગત આરોપ નક્કી કરવાનો કોર્ટે આદેશ કર્યો
હાલ એક મુવી સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને તેને ખુબ જ લોકપ્રિયતા મળી રહી છે. આ ફિલ્મ એટલે ધ કશ્મીર ફાઈલ્સ, મુવીમાં જે પણ કિરદાર છે તે ઓરિજનલ છે. કશ્મીરમાં દેશદ્રોહી અલતાવાદી નેતાઓ કઈ રીતે પાકિસ્તાનના પૈસે હિન્દુસ્તાન સાથે ગદ્દારી કરતા હતા તે સૌ કોઈ જાણે છે. કઈ રીતે ભારતની સેના પર તેઓ પથ્થરમારો કરાવતા હતા? પરંતુ જ્યારથી કશ્મીરમાં કલમ 370 દૂર કરાઈ ત્યારથી ત્યાં શાંતિ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે જમ્મુ કશ્મીર ટેરર ફંડિંગ કેસમાં અનેક અલતાવાદી નેતાઓ સામે UAPA અંતર્ગત આરોપ નક્કી કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. જેમાં તે બિટ્ટા કરાટેનું પણ નામ છે જેણે અનેક કશ્મીરી પંડિતોની હત્યા કરી હતી.
ધારા 370ના ખાત્મા સાથે જ પથ્થરબાજો ગોત્યા જડતા નથી
હાલ કશ્મીર પંડિતોને લઈ બનેલી ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને ખુબ જ લોકપ્રિયતા મળી રહી છે. ફિલ્મ પણ સારી કમાણી કરી રહી છે. પંડિતો પર બનેલી આ ફિલ્મનો આજે કશ્મીરમાં થોડો પણ વિરોધ નથી. ન તો એક પણ અલતાવાદી નેતા કે દેશદ્રોહી તત્વ કંઈ બોલી શક્તા. પરંતુ તમે જો બે વર્ષ પાછળ જતા રહો અને વિચારો કે કલમ 370 જો રદ કરાઈ ન હોત અને આ ફિલ્મ ત્યારે આવી હોત તો શું થાત? કશ્મીરમાં તોફાનો ફાટી નીકળતા. દેશ વિરોધી તત્વો હાહાકાર મચાવતા. સેના પર પથ્થરો જ નહીં પણ બાટલી બોમ્બ મારતા અને પેલા કશ્મીરી કલંક અલતાવાદીઓ શું ન કરતા? રોજ કશ્મીર બંધનું એલાન આપતા. નિર્દોષોને મોતને ઘાટ ઉતારતા અને સરકારને બ્લેકમેઈલ કરતા. ધારા 370ના ખાત્મા સાથે જ પથ્થરબાજો ગોત્યા જડતા નથી. દેશવિરોધી હૂર્રિયત નેતાઓ જેલની મસ્ત હવા ખાઈ રહ્યા છે અને તેમની સામે એવો સકંજો કસાયો છે કે કદાચ જીવનભર તેઓ જેલની જ રોટલીઓ તોડશે. કલમ 370ના ખાત્માથી કશ્મીરી પંડિતોનો એટલા આશીર્વાદ મોદી સરકારને મળ્યા છે કે જે આજે એક ફિલ્મ દ્વારા જ સમજી શકાય છે.
આ ષડયંત્રમાં રાજનાયિક મિશનનો પણ ઉપયોગ થયો
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે..જેમાં આતંકી બિટ્ટા કરાટેના કિરદારને બતાવવામાં આવ્યો છે. જેણે કેમેરા સામે કબૂલ્યું હતું કે તેણે 20થી વધારે કશ્મીરી પંડિતોની હત્યા કરી હતી .હવે તે જ બિટ્ટાનું નામ ટેરર ફંડિંગ લેનારા તે આરોપીઓમાં આવ્યું છે જેમને કશ્મીર સળગાવવા માટે પાકિસ્તાનથી પૈસા મળ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ષડયંત્રમાં રાજનાયિક મિશનનો પણ ઉપયોગ થયો હતો. જમ્મુ કશ્મીર આતંકી ફંડિંગ કેસમાં NIA કોર્ટે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટીએ એ સ્પષ્ટ છે કે આરોપી શબ્બીર શાહ, યાસિન મલિક, એન્જિનિયર રાશિદ, બિટ્ટા કરાટે, અલતાફ ફંટૂશ, મસરત આલમ અને અલતાવાદીઓ તથા JRLને સીધુ ટેરર ફંડિંગ કરાયું હતું, અને આ ગાંધીનો રસ્તો ન હતો. કોર્ટે વધુ કહ્યું કે, હૂર્રિયત નેતા આરોપી પીર સૈફુલ્લાહને પથ્થરબાજી કરાવવા માટે પૈસા મળ્યા હતા. જે આતંકી કૃત્યના આરોપમાં આવે છે, ટેરર ફંડિંગ માટે પૈસા પાકિસ્તાનથી અને તેની એજન્સીઓ દ્વારા મોકલાતા હતા. ટેરર ફંડિંગ માટે પૈસા આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને આરોપી હાફિઝ સઈદ તરફથી પણ આવતા હતા.
ટેરર ફંડિંગ માટે પાકિસ્તાનથી આવતા હતા પૈસા
NIA કોર્ટે કહ્યું છે કે આરોપી જહૂર અહેમદ શાહ આ ટેરર ફંડિંગનો એક મુખ્ય કિરદાર હતો અને આરોપી નવલ કિશોર કપૂરે આ કામમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. પ્રથમ દ્રષ્ટીએ સ્પષ્ટ થાય છે કે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન માટે એક અપરાધિક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ત્યારપછી હિંસા અને મોટા પ્રમાણમાં આગ લગાવવાનું ષડયંત્ર ઘડાયું. જે ગાંધીનો રસ્તો નહીં પણ હિટલરનો રસ્તો હતો, NIAની ચાર્જસીટ મુજબ JKLFના ચીફ યાસીન મલિકે આઝાદી કે સંઘર્ષના નામ પર જમ્મુ કશ્મીરમાં આતંકી ગતિવિધિઓ માટે વિશ્વમાંથી ફંડ ભેગુ કરવાનો ઢાંચો તૈયાર કર્યો હતો. NIAએ લશ્કર એ તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીન પ્રમુખ સૈયદ સલાહુદ્દીન, કશ્મીરી અલતાવાદી નેતા યાસીન મલિક, શબ્બીર શાહ, મસરત આલમ સહિતના લોકો સામે UAPAની વિવિધ કલમો અંતર્ગત આરોપો નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કશ્મીરી નેતા અને પૂર્વ ધારાસભ્ય રાશિદ એન્જિનયર, બિઝનેસમેન જહૂર અહેમદ, બિટ્ટા કરાટે, અફતાબ અહેમદ શાહ, અવતાર અહેમદ શાહ, નઈમ ખાન, બશીર અહેમદ ભટ્ટ ઉર્ફે પીર સૈફુલ્લાહ સહિતના લોકો સામે પણ આરોપો નક્કી કરવા માટે કહ્યું છે.
આતંકી ફંડિંગ માટે પૈસા પાકિસ્તાન અને તેની એજન્સીઓના મારફતે મોકલાતા હતા. એટલે સુધી કે રાજનાયિક મિશનનો ઉપયોગ ખોટા મનસુબાને પુરા કરવા માટે કરાયો હતો. NIA કોર્ટે નોટ કર્યું કે આતંરરાષ્ટ્રીય આતંકી હાફિઝ સઈદ દ્વારા આતંકી ફંડિંગ માટે પૈસા મોકલાયા હતા. જો કે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલ ઓર્ડરમાં જે કહેવાયું છે તે પ્રથમ દ્રષ્ટીએ ઓપિનિયન છે અને તથ્યો પર બન્ને બાજુથી વિસ્તૃત ચર્ચાની જરૂરિયાત છે. પરંતુ જેટલા પણ નામ સામે આવ્યા છે તેમની સામે ગાળિયો બરાબર કસાવવાની તૈયારી થઈ ગઈ છે અને હવે તો કલમ 370 પણ નથી. જેના કારણે તેમને બચવાનો કોઈ ચાન્સ નહીં મળે. દેશવિરોધી આ તત્વોએ આખી જિંદગી જેલમાં જ કાઢવી પડશે એ નક્કી છે.