શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને પોલીસનો ડર ન હોય તેમ રામોલના રામરાજ્ય નગર પાસે વાહનોમાં તોડફોડ કરી હતી.
પૈસાની લેતી દેતીમાં કરી હતી મારમારી
સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ
નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
31મી ડિસેમ્બરના રોજ પોલીસની સઘન સુરક્ષા હોવા છતાંય અમદાવાદની એક સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ઈસનપુરની ખારાવાલા ફેક્ટરી પાસે અસામાજીક તત્વોનો આંતક સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ગત મોડી સાથે 31 ડિસેમ્બરને પગલે પોલીસ શહેરમાં ચુસ્ત બંધોબસ્તમાં વ્યસ્થ હતી ત્યારે બીજી તરફ અસામાજિક તત્વોએ શહેરને બાનમાં લીધું હોય તેમ હાથમાં તલવાર અને ઘાતક હથિયાર લઈને આતંક મચાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ
ઇસનપુરમાં પારસ પાન પાર્લર પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં દારુના નશામાં આવેલા અસામાજિક તત્વોએ લાકડી, પાઈપો દ્વારા વાહનોમાં તોડફોડ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે અગાઉ પણ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. જેમાં અનેક સોસાયટીમાં અસામાજિક તત્વોએ ગાડીઓના કાંચ તોડી નાખ્યા હતા. ત્યારે શહેર પોલીસ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે ખુલ્લેઆમ તલવારો લઈને ફરતા લોકોને કેમ પોલીસનો કોઈ ડર રહ્યો નથી. જો આવી રીતે અસામાજિક તત્વોનો આતંક વધતો રહ્યો તો ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે.