જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં આતંકવાદીઓએ 2 લોકોની હત્યા કરી છે.
જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો
ઈંટ ભઠ્ઠામાં કામ કરનારા મજૂરોને બનાવાય નિશાન
બડગામમાં પ્રવાસી મજૂરોને બનાવાયા નિશાન, એકનું મોત
જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકો પર આતંકવાદી હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. આજે બડગામમાં ઈટ ભઠ્ઠામાં કામ કરનારા પ્રવાસી મજૂરો પર હુમલો થયો, જેમાં 1 મજૂરનું મોત થઇ ગયું. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્ત મજૂરની સારવાર શ્રીનગરના SMHS હોસ્પિટલમાં ચાલી રહી છે.
આતંકવાદીઓએ મજૂરો પર હુમલો બડગામના મગરેપોરા ચડૂરા વિસ્તારમાં કર્યો. હુમલામાં જીવ ગુમાવનારા મજૂરનું નામ દિલખુશ જણાવવામાં આવી રહ્યું છે. તે બિહારનો રહેવાસી હતો. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં બિન કાશ્મીરી કે હિન્દુ નાગરિકોને વીણી વીણીને મારવામાં આવી રહ્યા છે.
ગત મહિને આવી ત્રણ ઘટના બની, જેનાથી ત્યાં રહેતા અલ્પસંખ્યક ચિંતામાં મૂકાઈ ગયા છે. આજે(2 જૂન) આતંકવાદીઓએ કુલગામમાં એક બેંગ મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજય કુમારનું મોત થઇ ગયું. તે હનુમાનગઢ રાજસ્થાનના રહેવાસી હતા.
વિજય કુમાર કુલગામના મોહનપોરામાં બેંકમાં તૈનાત હતા. આતંકવાદીઓએ તેના પર ફાયરિંગ કરી દીધું. ત્યારબાદ તેમનું મોત થઇ ગયું. સેનાએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. વિજય કુમારના પિતાએ જણાવ્યું કે, તેઓ ટ્રાન્સફર માટે બેંક પીઓની તૈયારી કરી રહ્યા હતા, જેથી તેમા પાસ થઇને બ્રાન્ચ મેનેજર બની શકે, પરંતુ ભગવાનને કંઇક બીજું જ મંજૂર હતું.
31 મેના રોજ કુલગામમાં આતંકવાદીઓએ મહિલા ટીચર રજનીબાલાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે સાંબાની રહેવાસી હતી. તેની હત્યા કુલગામના ગોપાલપોરામાં કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં ટીચર હતી.