પાકિસ્તાની સ્કૂલમાં આતંકી હુમલાની ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં હુમલાખોરોએ સ્ટાફ રુમમાં ગોળીઓ વરસાવી 7 ટીચરોની હત્યા કરી નાખતા હાહાકાર મચી જવા પામ્યો છે.
પાકિસ્તાન-અફઘાન બોર્ડર પાસે આવેલ પારચીનાર શાળામાં આતંકી હુમલો
હુમલાખોરોએ સ્કૂલના સ્ટાફ રૂમમાં ઘુસી કર્યો અંધાધુધ ગોળીબાર
સાત શિક્ષકોની હત્યાથી હાહાકાર
પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાકિસ્તાન-અફઘાન બોર્ડર પાસે આવેલ પારચીનાર શાળામાં આતંકી હુમલાની ઘટના સામે આવી હતી. હુમલાખોરોએ સ્કૂલના સ્ટાફ રૂમમાં ઘુસી અંધાધુધ ગોળીબાર કરતા સાત શિક્ષકોની હત્યા કરી હતી. જેને લઈને હાહાકાર મચી ગયો હતો.આ શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હોવાનું જાણવા મળી રહ્યું છે.
#BreakingNews : Seven teachers gunned down in a school in Parachinar, near the Pak-Afghan border. Armed persons entered the school and opened fire in the staff room. Says Officials pic.twitter.com/T7sdPXdzVC
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) May 4, 2023
મૃતક ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા
જોકે આ હુમલા મામલે હજુ સુધી કોઈ સંગઠનની સંડોવણી સામે આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુન્ની આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે જે જગ્યાએ ગોળીબાર થયો હતો તે અફઘાન સરહદની એકદમ નજીક આવેલ છે.
گورنمنٹ ہائی سکول تری منگل میں مظلوم اور بے گناہ اساتذہ کو بے دردی سے ہلاک کرنے کی بھرپور انداز میں مزمت کرتے ہیں.#parachinarpic.twitter.com/wtZS3DmE8e
— Syed Mubashir Hussaini (@MubashirSyed14) May 4, 2023
સ્થાનિકોમાં ગભરાટનો માહોલ
હાલ ફાયરિંગ બાદ વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક લોકોએ આ ઘટનાને શખ્સ શબ્દોમાં વખોડી કાઢી છે. નોંધનીય છે કે પારાચીનાર દાયકાવાથી સેન્યના નેતૃત્વમાં શિયા નરસંહાર સ્થળ રહ્યું છે અને આ હક્કાની નેટવર્કએ એ વિસ્તારમાં ભૂતકાળમાં તબાઈ મચાવી છે.