પાકિસ્તાનના અશાંત વિસ્તાર બલૂચિસ્તાન વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 8 લોકોના મોત નિપજ્યાં છે. હુમલામાં માર્યા ગયેલામાં ચાર સૈનિક અને ચાર આતંકીઓનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની સેનાના જણાવ્યા અનુસાર ચાર આતંકવાદીઓએ આ વિસ્તારના લોરલઇ વિસ્તારમા ફ્રંટિયર કોરના પ્રશિક્ષણ કેન્દ્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આતંકીઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચી નહી શકતા ફાયરિંગ શરૂ કર્યું અને નજીકની તપાસ ચોકી પરિસરમાં ઘુસી ગયા. સેનાએ જણાવ્યુંકે આ અભિયાન દરમિયાન આત્મઘાતી હુમલાખોર સહિત ચાર આતંકીઓના મોત થયા છે. આ હુમલામાં ચાર સુરક્ષાકર્મીના પણ મોત થયા છે.
ઉલ્લેખનીય છેકે આ પહેલા બલૂચિસ્તાનને અલગ કરવાની માગણી કરનારા અસલમ બલોચની કંધારમાં એક આત્મઘાતી હૂમલામાં મોત થઇ હતી. અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલય મુજબ કંધાર શહેરમાં એક આત્મઘાતી હુમલાખોરે એક સિવિલિયન વ્હીકલને નિશાન બનાવ્યું
જેમાં 6 નાગરિકોના મોત થયા હતા. જો કે એક અહેવાલ મુજબ કંધાર હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીના નેતા અસલમ બલોચ પણ સામેલ છે. પાકિસ્તાનના મીડીયાએ બલોચ નેતા અસલમને કરાચીમાં આવેલ ચાઇના વાણીજય દૂતાવાસ પર હુમલાનો માસ્ટર માઇન્ડ બતાવ્યો છે.