કાશ્મીરમાંથી 370 કલમ હટાવી લેવાયા બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે હવે જૈશ અને લશ્કરના આતંકવાદીઓ સુરક્ષા જવાનો પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન પોતાના ખતરનાક મુઝાહિદ્દીન બટાલિયનનો ઉપયોગ લાઈન ઓફ કંટ્રોલ પર ભારતીય સુરક્ષા જવાનો પર હુમલો કરવા માટે કરી શકે છે.
આ આતંકી હુમલો આત્મઘાતી પણ હોઈ શકે છે. ગુપ્તચર વિભાગે આ મામલે સુરક્ષા જવાનોને એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યા છે. સૂત્રોનું માનીએ તો LoC પર આતંકીઓ અને પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ભારતના સુરક્ષા જવાનોને નિશાન બનાવીને હુમલો કરી શકે છે.
પાકિસ્તાની સેનાની સાથે આતંકવાદીઓ પણ લોન્ચ પેડમાં હાજર છે. PoKમાં ત્રણ જગ્યાએ મોટી સંખ્યામાં આતંકવાદીઓ એકઠા થયા છે. જેમાં તમામ આતંકવાદીઓ જૈશ-એ-મહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના છે. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની ઘુસણખોરી અને ભારતીય સુરક્ષા જવાનો પર હુમલાનો પણ પ્લાન ઘડી કાઢ્યો છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા અપાયેલા એલર્ટ બાદ જવાનોને પણ એલર્ટ રહેવા માટે આદેશ આપી દેવાયા છે.
એરપોર્ટની સુરક્ષાને લઈને BCASએ એડવાઈજરી બહાર પાડી
દેશમાં આતંકી હુમલાને રોકવાને લઈને સુરક્ષાને ધ્યાનને લઈને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સોસાયટી દ્વારા એક એડવાઈજરી જાહેર કરવામાં આવી છે. જેમાં દેશના તમામ એરપોર્ટની સુરક્ષાને લઈને BCASએ એડવાઈજરી બહાર પાડી છે.
દિલ્લી-મુંબઈ, મોહાલી અને અન્ય એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટને લઈને BCASએ એડવાઈજરી જાહેર કરી છે. તમામ રાજ્યોના DGP, DG અને CISFને સુરક્ષા વધારા માટે એડવાઈજરી જાહેર કરાઈ છે.
જમ્મૂમાં સતત ચાર દિવસથી શાંતિ, ન કોઇ પ્રદર્શન, ન કોઇ હિંસા
જો કે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ચોથા દિવસે જનજીવન સામાન્ય જોવા મળ્યું છે. લોકો ખરીદી કરવા ઘરની બહાર નીકળી રહ્યાં છે. આમ ભારતીય સેનાના બંદોબસ્ત વચ્ચે સ્થિતિ સામાન્ય થઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મમાં હાલ 144 કલમ લગાવવામાં આવી છે.