સીઈઓ સગ્ગરે જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં ઓક્સિજનનું સંકટ સર્જાયું છે. અમે ડોક્ટરોને જણાવ્યું છે કે દર્દીઓને રજા આપી દો. કારણ કે અમારી પાસે ઓક્સિજન નથી અને તેમાંય કોઈ દર્દીનું મોત થયું તો આટલું કહીને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતા.
#WATCH | Sunil Saggar, CEO, Shanti Mukand Hospital, Delhi breaks down as he speaks about Oxygen crisis at hospital. Says "...We're hardly left with any oxygen. We've requested doctors to discharge patients, whoever can be discharged...It (Oxygen) may last for 2 hrs or something." pic.twitter.com/U7IDvW4tMG
આકાશ હેલ્થકેરમાં પણ ઓક્સિજનનો જથ્થો દોઢ કલાકથી વધારે ચાલે તેમ નથી. આકાશ હેલ્થકેરના સીઈઓ કૌશર શાહે જણાવ્યું કે હોસ્પિટલમાં 200 દર્દીઓ દાખલ છે અને ઓક્સિજન ફક્ત દોઢ કલાકનો જ બચ્યો છે. ઓક્સિજન સંબંધિત બીજો એક મોટો નિર્ણય લેતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓક્સિજનનો સપ્લાય પૂરો પાડતા વાહનોની અવરજવરને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે જણાવ્યું કે ઓક્સિજન ઉત્પાદકો અને સપ્લાયર્સ તેમના રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની બહાર ક્યાંય પણ ઓક્સિજનનો સપ્લાય પૂરો પાડી શકશે.