2020નું વર્ષ જાણે આફતનું વર્ષ હોય તેવું લાગે છે. એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર વરસાવ્યો છે ત્યારે ઉત્તરાખંડના જંગલમાં એક મોટી આફત આવી ચડી છે. છેલ્લા કેટલાક દિવસથી જંગલોમાં આગ લાગતા મોટા ભાગનો વિસ્તાર બળીને ખાખ થયો છે તો વન્ય સંપદાને પણ નુકસાન પહોંચ્યું છે.
ઉત્તરાખંડના જંગલમાં લાગી આગ
વન્ય સંપદાને મોટું નુકસાન
બોલીવૂડ એક્ટરે ઓસ્ટ્રેલિયાના જંગલની યાદ તાજી કરી
ઉત્તરાખંડના પૌડી-ગઢવાલ જિલ્લાના શ્રીનગર વિસ્તારમાં આવેલા જંગલોમાં શનિવારે ભારે આગ ભભૂકી ઉઠી હતી. તીવ્ર ગરમી અને સૂર્યપ્રકાશને કારણે ઉત્તરાખંડના જંગલ વિસ્તારોમાં જંગલમાં આગ લાગી છે. જોરદાર પવનને કારણે આગ ઝડપથી ફેલાઇ રહી છે. તે જ સમયે, તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ઘાસમાં અને લાકડા જંગલમાં સૂકાઈ ગયા છે, જેના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે.
આગ લાગતા જંગલનો કેટલોક હિસ્સો બળીને ખાખ
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમામએ જંગલમાં આગ લાગવાથી 50.34 હેક્ટર જંગલ બળીને ખાખ થઇ ગયું છે. ઝડપી હવાને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે અને વધુને વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી રહી છે. તો એક તરફ એવી પણ વાત સામે આવી છે ત્યા ચાલુ વર્ષે 46થી વધારે આગ લાગી છે.
Uttarakhand: Forest fire broke out in Srinagar of Pauri Garhwal district today. Forest officer Anita Kunwar says, "5-6 hectares of forest have been affected. Fire could not be controlled due to wind. More teams will be called to extinguish it." pic.twitter.com/iJveQaHNK6
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં લાગેલી આગને કારણે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં કેટલાય દિવસ સુધી લાગેલી આગની યાદો તાજી કરાવી દીધી હતી. આ સાથે જ #PrayForUttarakhand હેઝટેગ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ટ્રેન્ડિંગ કરી રહ્યો છે.
બોલીવૂડ અભિનેતાએ ઉત્તરાખંડની આગને ઓસ્ટ્રેલિયાની આગ સાથે સરખાવી
આ બોલીવૂડ અભિનેતા રણદીપ હુડ્ડાએ લોકોને અપીલ કરી હતી કે, તેઓ ગભરાય નહીં અને આ પ્રાકૃતિક ઘટનાની તુલના ઓસ્ટ્રેલિયાના બુશફાયરની ઘટના સાથે કરે. રણદીપ હુડ્ડાએ કહ્યું, જંગલની આગ એ એક પ્રાકૃતિક ઘટના છે જે જંગલનો કાયાકલ્પ કરે છે અને તે દરવર્ષે થાય છે.
આ આગે 2016ની યાદ તાજી કરાવી હતી. 2016માં 4,538.21 હેક્ટર જંગલ આગથી બળીને ખાખ થઇ ગયું હતું, જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જીતિન પ્રસાદે લખ્યું હતું કે, આ સુંદર પહાડો અને જંગલો અને વન્યજીવોને સળગતું જોઇને દુ:ખી છું. જે છેલ્લા 4 દિવસથી સામનો કરી રહ્યા છે.
આગની ફેક તસવીરો પણ થઇ રહી છે વાયરલ
એક તરફ કોરોના વાયરસ દેશમાં બેકાબૂ બન્યો છે તો ઉત્તરાખંડની આગ પણ લોકોમાં ચર્ચાનું કારણ બની છે. ત્યારે આગની કેટલીક તસવીરો જે રીતે વાયરલ થયો તે ખરેખર ખોટો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે .