રાજકોટમાં મૃતદેહને અગ્નીદાહ માટે સ્માશાનમાં લાઇનની લાગી હોવાનો વીડિયો વાયરલ, અગ્નિદાહ માટે બે કલાકનું વેઇટિંગ લાગ્યું
કોરોના કેસને લઇને ભયંકર સ્થિતિ
સ્માશાનમાં લાઇનની ચર્ચાનો વીડિયો
સ્મશાનમાં અગ્નિદાહ માટે વેઇટિંગ
રાજકોટમાં કોરોના કેસને લઇને ભયંકર સ્થિતિ સામે આવી રહી છે. મૃતદેહ માટે સ્માશાનમાં લાઇનની લાગી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના સ્મશાનમાં અગ્નિદાહ માટે 4 કલાકનું વેઇટિંગ લાગી ગયું છે. હોસ્પિટલના ગાર્ડ અને મૃતકોના સગાનો વીડિયો વાયરલ થયો છે. મૃતકોના સગાઓ પોતાના સ્વજનોના અગ્નીદાહ માટે પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે હાજર ગાર્ડ જવાબ આપે છે કે, સ્મશાનમાં લાઇન છે તો મૃતદેહ ક્યાં લઇ જશો. મહત્વનું છે કે, રાજકોટમાં કોરોનાથી રોજ અંદાજે 15નાં મૃત્યુ થાય છે.
ભરૂચમાં કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર થવાનો મામલે ચર્ચા જાગી છે. વધતા જતાં મૃત્યુઆંકથી અગ્નિદાહ મુદ્દે આરોગ્ય વિભાગે મૌન સેવ્યું છે. આરોગ્ય અધિકારી જે. એસ. ધુલેરા VTVના સવાલોથી ભાગતા જોવા મળ્યા હતા. છેલ્લા 2 દિવસમાં 20થી વધુ અંતિમ સંસ્કાર થયા છે. સ્મશાનમાં મૃત્યુઆંક મુદ્દે VTVની ટીમ આરોગ્ય વિભાગમાં પહોંચી હતી. મૃત્યુનું કારણ પૂછવાની કોશિશ કરતા આરોગ્ય અધિકારી ભાગ્યા હતા. સાચી પરિસ્થિતિ અંગે જવાબ આપવામાં તંત્રને ડર લાગી રહ્યો છે. સરકારી આંકડામાં અપડેટ કેમ નથી તે પુછતા પણ કોઈ જવાબ મળ્યો નહોતો. કોવિડ પ્રોટોકોલથી અત્યાર સુધી 560થી વધુ મૃતદેહને અગ્નિદાહ અપાયો છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર સામે આવી રહ્યો છે. છેલ્લા એક દિવસમાં સૌરાષ્ટ્રમાં 770 કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 35 દર્દીના મૃત્યુ સામે આવ્યા છે. જામનગર, ભાવનગર, મોરબીમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 385 કેસ છે. તો જામનગર શહેર અને ગ્રામ્યમાં 151 કેસ સામે આવ્યા છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં 94 કેસ જોવા મળ્યા. મોરબીમાં પણ 32 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અધિકારીઓની રજા રદ
રાજકોટમાં કોરોનાના સતત વધતા સંક્રમણના કારણે મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે નિર્ણય કરાયો છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરાઈ છે.
રાજકોટ સહિતના જિલ્લામાં કોર્ટની કામગીરી પણ બંધ કરાઈ
રાજ્યના પાંચ મોટા શહેરોમાં આજથી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. રાજ્યની કોર્ટોમાં 50 ટકા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટનો કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરતની તમામ કોર્ટમાં કામગીરી બંધ રહેશે. વડોદરા, જામનગરની તમામ કોર્ટમાં પણ ફિજિકલ કામગીરી કરવામાં નહીં આવે.