રાજસ્થાનના ભીલવાડમાં ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો જેમા ઘટના સ્થળેજ 4 લોકોના કરૂણ મોત થયા છે. જેમાથી 3 મૃતકો એકજ પરિવારના સભ્યો હતા.
રાજસ્થાનના ભિલવાડમાં સર્જાયો ભયંકર અકસ્માત
ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત
અકસ્માત બાદ ટ્રક ડ્રાયવર સ્થળ પરથી ફરાર
રાજસ્થાનના ભીલવાડમાં એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જે અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા છે. ટ્રક અને કાર વચ્ચે આ ભયંકર અકસ્માત થયો જેમા ઘટના સ્થળેજ ચારેયના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૃતકોમાં 3 લોકો એકજ પરિવારના સભ્યો હતા.
રાતે 2 વાગ્યે થયો હતો અકસ્માત
રાત્રીના 2 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો અને જ્યારે પોલીસને આ મામલે જાણ થઈ ત્યારે પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. ટ્રક ડ્રાયવરે કારને ટક્કર મારી જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે જેમા માતા પિતા અને પુત્ર સહિત કુલ 4 લોકોના મોત થયા છે. જેના કારણે પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું છે.
ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર
પોલીસે મૃતદેહોની ઓળખ કરી તેમને પીએમ અર્થે ખસેડ્યા હતા. પ્રાથમીક તપાસમાં સામે આવ્યું કે ટ્રક ચીલ ઝડપે આવી રહી હતી અને તેણે કારને ટક્કર મારી જેથી ચારેય જણા કારની અંદરજ મોત પામ્યા હતા. બીજી તરફ આ અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ત્યાથી ફરાર થઈ ગયો.
भीलवाड़ा के रायला क्षेत्र में हुए सड़क हादसे में 4 लोगों की मृत्यु अत्यंत दुखद है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं, ईश्वर उन्हें इस कठिन समय में सम्बल दें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें।
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું છે.. જેમા તેમણે કહ્યું કે ભીલવાડાના રાયલા વિસ્તારમાં જે અકસ્માત થયો તેમા 4 લોકોના મોત થયા છે. જે અંત્યંત દુખદ છે. સાથેજ તેમણે કહ્યું કે મૃતકોના પરિવારોને મારી સંવેદના છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મૃતકોની આત્માને ભગવાન શાંતી આપે.