જમ્મૂ-કાશ્મીર મુલાકાત પર આવેલા યૂરોપીયન સાંસદોએ પત્રકાર પરીષદને સંબોધન કર્યું. ડેલિગેશન તરફથી જણાવવામાં આવ્યું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને ઘણી આશા છે. કલમ 370ને EU સાંસદોએ ભારતનો આંતરિક મામલો ગણાવ્યો. ભારત દ્વારા આતંકવાદનો ખાત્મો કરવાને લઇને કરવામાં આવી રહેલા પ્રયત્નોને અમારુ સમર્થન છે.
જમ્મૂ-કાશ્મીર ગયેલા 23 EU સાંસદોની પત્રકાર પરિષદ
EU સાંસદોએ નાની મુલાકાતને સફળ ગણાવી
ઔવેસીના નિવેદન પર EU સાંસદોની તીખી પ્રતિક્રિયા
ઔવેસીના નિવેદન પર આપ્યો આ જવાબ
પત્રકાર પરિષદમાં EU સાંસદો તરફથી જણાવવામાં આવ્યું છે કે અમે લોકો નાઝી લવર્સ નથી, જો અમે હોત તો અમને ક્યારે ચૂંટવામાં ન આવત. તેમણે ઔવેસીના આ શબ્દ પ્રયોગમાં ઘણી નારાજગી વ્યકત કરી. ઉલ્લેખનીય છે કે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ EU સાંસદોની સરખામણી નાઝી લવર્સ સાથે કરી હતી.
આતંકવાદ વિરુધ્ધની લડાઇમાં યૂરોપ ભારતની સાથે
સાંસદોએ આતંકવાદ મુદ્દા પર કહ્યું કે અમે આતંકવાદ વિરુધ્ધની લડાઇમાં સાથે છીએ. આતંકવાદનો મુદ્દો યૂરોપ માટે પણ ઘણો મહત્વપૂર્ણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ મુલાકાતનો રિપોર્ટ યૂરોપીય સંસદમાં રજૂ કરશો તો કહ્યું તેઓ આવું નહી કરે.
કાશ્મીરને બીજુ અફઘાનિસ્તાન બનવા નહીં દઇએ
કાશ્મીર મુલાકાતે પહોંચેલા યૂરોપીય યૂનિયનના સાંસદોએ પત્રકાર પરીષદમાં પાકિસ્તાનના નાપાક ઇરાદાની પોલ ખોલી દીધી. આ સાથે તેમણે મીડિયા દ્વારા તેમની મુલાકાતની ખોટી રીપોર્ટિંગ માટે નિંદા પણ કરી. આતંકવાદ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે, જે કોઇપણ દેશને નષ્ટ કરી શકે છે. તેને રોકવો જરૂરી છે. અમે કાશ્મીરને બીજુ અફઘાનિસ્તાન બનતુ જોવા માગતા નથી.
કાશ્મીર મુલાકાતમાં EU સાંસદોએ શું કર્યું ?
મંગળવારે જમ્મૂ-કાશ્મીરમાં યૂરોપીય સંસદના 23 સાંસદો શ્રીનગર પહોંચ્યા હતા. જ્યાં આ સાંસદોએ સ્થાનિક નેતાઓ, અધિકારીઓ, સરપંચો સાથે મુલાકાત કરી હતી. તે સિવાય બધા સાંસદ શ્રીનગરની પ્રખ્યાત ડલ ઝીલ પણ ગયા હતા. કાશ્મીર ઘાટીની પરિસ્થિતિ પર આ સાંસદોએ ભારતીય સેનાને રજૂઆત પણ કરી હતી.