ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ-3થી 105થી વધારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરતી ઈન્ડિગો (IndiGo) ની કેટલીક ફ્લાઈટ્સ હવે ટર્મિનલ -2થી ચાલુ થશે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી લાગૂ થશે. આ રીતે ગોએર (GoAir) પણ 1 ઓક્ટોબરથી દિલ્હી એરપોર્ટથી તેની કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટ્સને ટર્મિનલ-2 પર શિફ્ટ કરી રહી છે.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સને લઈને આવી રહ્યા છે ફેરફાર
ઈન્ડિગોની કેટલીક ફ્લાઈટ્સ ટર્મિનલ 2 પર થશે શિફ્ટ
ગોએરની પણ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ટર્મિનલ 2 પર થશે શિફ્ટ
1 ઓક્ટોબરથી આવી રહ્યા છે આ નવા ફેરફાર
ઈન્ડિગોની આ નંબરની ફ્લાઈટ્સ ચાલશે હવે ટર્મિનલ -2 પરથી
સસ્તી ફ્લાઈટ્સ સેવા આપનારી કંપની ઈન્ડિગોએ કહ્યું છે કે 6E 2000-6E 2999 ની વચ્ચેની દરેક ફ્લાઈટ્સ 1 ઓક્ટોબરથી ટર્મિનલ 2થી કામ કરશે. યસાથે આ નંબરની ફ્લાઈટ્સનું લેન્ડિંગ પણ અહીં જ થશે. આ સિવાયની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ 3થી ઓપરેટ થશે. તો હવે તમે એરપોર્ટ પહોંચતા પહેલાં તમારી ફ્લાઈટનો નંબર અને ટર્મિનલની જાણકારી મેળવી લો તે જરૂરી છે.
ઈન્ડિગોએ આપી છે આ સુવિધા, ગોએરે કહી આ વાત
કંપનીએ પોતાના પેસેન્જર્સને કહ્યું છે કે પેસેન્જર પીએનઆર નંબરની મદદથી વેબસાઈટ કે મોબાઈલ એપની મદદથી ફ્લાઈટના ટર્મનિલની જાણકારી મેળવી શકશે, ગોએર પણ પોતાની ફ્લાઈટ્સને ટર્મિનલ 2થીલ ઓપરેટ કરશે. ગોએરે ટ્વિટ પણ કર્યું છે કે હવેથી દિલ્હીથી આવનારી આઈજીઆઈ એરપોર્ટ પર લેન્ડ કરનારી દરેક ફ્લાઈટ્સ 1 ઓક્ટોબરથી ટર્મિનલ 2 પરથી ઓપરેટ થશે. પેસેન્જર્સે યાત્રા પહેલાં ટર્મિનલની તપાસ કરી લેવી યોગ્ય રહેશે.
#GoAlert
Important announcement for all GoAir passengers - effective 1st October 2020, all domestic flights to and from #Delhi will arrive and depart from Terminal 2. Please ensure you check your terminal information prior to travel. pic.twitter.com/OWnFk1LggU
ઈન્ડિગો અને સ્પાઈસ જેટે ટર્મિનલ 3થી પોતાની ફ્લાઈટ્સને 5 સપ્ટેમ્બરથી દિલ્હી એરપોર્ટથી ટર્મિનલ 2 પર શિફ્ટ કરી હતી. આ સમયે ટર્મિનલ 2ની ક્ષમતા વધારવા માટે કામ ચાલી રહ્યું હતું. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાતું અને એવામાં કોરોનાની વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને પેસેન્જર્સને સારો અનુભવ કરાવવા ટર્મિનલ 2 પર વિકાસનું કામ થઈ રહ્યું છે.
ડોમેસ્ટિક પેસેન્જર્સની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
લોકડાઉન બાદ અનલોકમાં સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સને મંજૂરી આપી છે. જુલાઈ 2020માં 21.07 લાખ પેસેન્જર્સ બાદ ઓગસ્ટમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં યાત્રીઓની સંખ્યા વધી છે. ઓગસ્ટમાં કુલ 28.32 લાખ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરી કરી હતી. બુધવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર તેમાં 34.4 ટકાનો વધારો નોંધાયો છે.