જૂનાગઢમાં જાણીતા સાધુ ઈન્દ્રભારતી બાપુની ઉદારતા સામે આવી છે. બાપુએ 2004માં મળેલી 7 કરોડની જમીન દાતાને પરત કરી છે. બાપુએ દાતાની સ્થિતિ જોઈને પોતાના કાર્યક્રમમાં જમીન પરત આપવાની જાહેરાત કરી હતી. બાપુએ વીકીભાઈને 27 વીઘા જમીન દસ્તાવેજ સાથે પરત કરી છે.
મહત્વનુ છે કે 2004માં વીકીભાઈ નામના ઉદ્યોગપતિનો ધંધો ખુબ જ સારો ચાલી રહ્યો હતો અને ત્યારે વીકીભાઈએ સાસણ નજીક દેવળીયામાં 27 વીઘા જમીન દાનમાં આપી હતી. આ જમીન પર છેલ્લા 14 વર્ષથી બાપુ પોતાનુ સતસંગ કરતા હતા. અને હવે ઉદ્યોગપતિના વેપારમાં મંદી આવતા તેઓ દેવામાં ડૂબ્યા છે.
હાલમાં તેમને પોતાની બધી જમીન વેચીને લોકોને રૂપિયા આપ્યા છે. હાલમાં તેમની પરિસ્થિતિ ખુબ ખરાબ ચાલી રહી છે. જેની જાણ થતા બાપુએ પોતાના કાર્યક્રમાં દાતાએ આપેલી 27 કરોડની 7 વીઘા જમીન પરત આપવાની જાહેરાત કરી છે.