રાજસ્થાન ખાતે આવેલ બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં ભારે પવનના કારણે મંડપ ઉડવાની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા તથા વરસાદને કારણે મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે રામકથામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા આમતેમ ભાગ્યા હતા. મંડપ ઉડવાની તથા ત્યારબાદ ધરાશાયી થવાની ઘટનાને પગલે 14 લોકોના મોત થયાં હતા તો વળી કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર મળ્યા છે.
ગહેલોત સરકારે આપ્યા તપાસના આદેશ
મંડપ ધરાશાયી થવાની આ ઘટનાને પગલે અશોક ગહેલોત સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ સરકારે મરનારને 5 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે ઘાયલ થયેલ વ્યક્તિની સારવાર અર્થે 2 લાખ સુધીની સહાય આપી છે.
Rajasthan CM Ashok Gehlot announces ₹5 lakh each to the next of the kin of those who lost their lives in the incident where a 'pandaal' collapsed in Barmer, today. Injured to be provided a maximum of ₹2 lakh as compensation. Jodhpur DC to conduct an inquiry into the incident. pic.twitter.com/5qyBwEA7iI
શું બની હતી ઘટના
રવિવારે આંધી-તોફાનના કારણે જીલ્લાના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા દરમ્યાન લોખંડનો મંડપ પડી ગયો. મંડપ પડ્યા બાદ તેમાં કરંટ ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં મંડપ નીચે દબાવવાથી અને કરંટ લાગવાથી 14 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે.
Rajasthan: At least 10 dead and around 24 injured after a 'pandaal' collapsed in Barmer. Injured persons admitted to a hospital. More details awaited. pic.twitter.com/fbXEtyZ4C7
જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાના કારણે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ હતી અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ દ્વારા સંવેદના કરી વ્યક્ત :
રામકથા દરમિયાન અતિશય પવન તથા વરસાદને પગલે ધરાશાયી થયેલ મંડપની ઘટનાને પગલે પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે...
Collapse of a ‘Pandaal’ in Rajasthan’s Barmer is unfortunate. My thoughts are with the bereaved families and I wish the injured a quick recovery: PM @narendramodi
મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
રાજસ્થાન ખાતે આવેલ બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં મંડપ ધરાશાયી થવાન ઘટનાને લઇને મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું કે,
जसोल,बाड़मेर में राम कथा के दौरान टेंट गिरने से हुए हादसे में बड़ी संख्या में लोगों की जान जाने की जानकारी अत्यंत दुखद, दुर्भाग्यपूर्ण है।ईश्वर से दिवंगतों की आत्मा को शांति प्रदान करने,शोकाकुल परिजनों को सम्बल देने की प्रार्थना है। घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूँ
ગૃહમંત્રી અમિત શાહે ઘટનાને ગણાવી દુ:ખદ :
રામકથામાં સર્જાયેલ દુર્ઘટનાને પગલે દેશના દિગ્ગજ નેતાઓએ દુ: ખદ ગણાવી હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટનાને દુ:ખદ ગણાવીને ટ્ટીટ કર્યું હતું કે,
Pained to know about the loss of lives due to collapse of a Pandaal in Barmer, Rajasthan. I express my deepest condolences to the bereaved families. May the injured recover quickly.