કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. આ જ કારણોસર સરહદ પર સેનાના વધારાનું દળ તૈનાત કરવામાં આવ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી બોલાચાલીના બે અઠવાડીયા બાદ આક્રમક વલણ અપનાવતાં લદ્દાખના ગલવા ઘાટી અને પેંગોંગ ત્સો ઝીલની આસપાસના વિસ્તારમાં વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યાં છે.
એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભારતના ઉચ્ચ સૈન્ય અધિકારી સતત આ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. જ્યારે અમેરિકા તરફથી જણાવામાં આવ્યું છે કે ચીનના સૈનિકોનો આક્રમક વ્યવહાર ચીન તરફથી ખતરાની ઘંટી સમાન છે. અમેરિકાના વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે આ સંબંધમાં જણાવ્યું કે તેઓને લાગે છે કે સરહદ પર તણાવ એક ચેતાવણી છે કે ચીનની આક્રમકતા હંમેશા કેવળ એક નિવેદનબાજી હોતી નથી.
આ સંબંધોમાં સૂત્રોને મળતી જાણકારી મુજબ ચીનના સૈનિકોએ પેંગોંગ ઝીલની આસપાસના ક્ષેત્રોમાં છેલ્લા કેટલાંક દિવસોથી પોતાની સંખ્યા ઘણી વધારી દીધી છે, એટલું જ નહીં ઝીલમાં વધારાની બોટ પણ લઇ આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર આવી પરિસ્થિતિમાં બંને પક્ષોએ ડેમચોક અને દોલત બેગ ઓલ્ડી જેવા સ્થાનો પર વધારાના સૈનિક તૈનાત કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગલવાંની આસપાસના વિસ્તારમાં છેલ્લા છ દાયકાથી બંને પક્ષો વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. એક મળતાં અહેવાલ મુજબ ચીન તરફથી ગલવાં ઘાટી વિસ્તારમાં મોટી સંખ્યામાં ટેંટ લગાવામાં આવ્યાં છે. જેને લઇને ભારતે પણ આ વિસ્તારમાં સાવચેતીના પગલે પોતાનું વધારાનું દળ મોકલ્યું છે.