પ્રાણીઓ અને કોષો પર કરવામાં આવેલા અભ્યાસો અનુસાર, દવાઓનો એક નવા મિશ્રણને સાર્સ-કોવિ-2ના કારણે કોરોનાનું સંક્રમણ પર રોક લાગી શકે છે.
કોરોના વાયરસ સામે રક્ષણ આપતી નવી દવા શોધાઈ
નવી દવાઓનું મિશ્રણ સફળ રહ્યું
દવાનો પ્રયોગ હેમસ્ટર પર કરવામાં આવ્યો
કોરોના વાયરસ સામે નવી દવાઓનું મિશ્રણ સફળ રહેવા પામ્યું
કોરોના વાયરસ સામે નવી દવાઓનું મિશ્રણ સફળ રહેવા પામ્યું છે. પ્રાણીઓ અને કોષો પર કરવામાં આવેલા અભ્યાસો અનુસાર દવાઓનો નવું મિશ્રણ સાર્સ-કોવિ-2 દ્વારા કોરોના સંક્રમણને રોકી શકાય છે.નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રોફેસર ડેનિસ કેનોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક પરિણામોમાં જાણવા મળ્યું છે કે, એન્ટિવાયરલ દવાઓ નેફામોસ્ટેટ અને પેગાસીસનો સંયુક્ત ઉપયોગ અસરકારકતા માટેની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ મિશ્રણ અસરકારક રીતે ચેપને દબાવી દે છે.
આ દવાનો પ્રયોગ હેમસ્ટર જેવા પ્રાણીઓ પર કરવામાં આવ્યો
સંશોધકોએ કહ્યું કે, આ પ્રયોગ સેલ કલ્ચર અને હેમસ્ટર જેવા પ્રાણીઓ પર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેનો અર્થ એ નથી કે મિશ્રણ મનુષ્યોમાં પણ કામ કરશે, પરંતુ તે સંશોધકો માટે સંકેત હોઈ શકે છે જેઓ કોવિડ -19 સામે નેફામોસ્ટેટ (લોહીને પાતળું કરનાર રસાયણ) ની અસરોનું વિશ્લેષણ કરી રહ્યા છે.
બંને મિશ્રણની સકારાત્મક અસર છે.
સંશોધકોના મતે નેફેમોસ્ટેટ પહેલેથી જ કોવિડ-19 સામે મોનોથેરાપી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જાપાનમાં અન્ય સ્થળોએ તેની વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે. પેગાસિસ હાલમાં મુખ્યત્વે હિપેટાઈટિસ સીની સારવાર માટે વપરાય છે. તેમણે કહ્યું કે, બંને મિશ્રણની સકારાત્મક અસર છે. એનટીએનયુના પ્રોફેસર મગનાર જોરાસે જણાવ્યું હતું કે, "બંને દવાઓ અમારા કોષોમાં હાજર ઘટક TMPRSS 2 પર હુમલો કરે છે,જે વાયરસની પ્રતિકૃતિને અટકાવે છે." સંશોધકોએ કહ્યું કે, સંયોજન દવાઓના માત્ર ઓછા ડોઝની જરૂર પડશે.