પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં એક હિંદુ ડૉક્ટરની ઇશનિંદાનાં આરોપમાં ધરપકડ કર્યા બાદથી હિંસા ભડકી ગઇ છે. આ મામલો સામે આવ્યા બાદ પ્રદર્શનકારીઓએ હિંદુઓની દુકાનો પર હુમલો કર્યો કે તેમાં આગ પણ લાગી ગઇ. આ કાયદા હેઠળ ઇસ્લામ કે પયંગબર મોહમ્મદની વિરૂદ્ધ બોલનારા વ્યક્તિને મોતની સજાની જોગવાઇ છે. સજા-એ-મૌત ન મળતા તેને આજીવન કેદની સજા આપવામાં આવે છે.
પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં એક હિંદુ ડૉક્ટરની ઇશનિંદાનાં આરોપમાં ધરપકડ કર્યા બાદથી હિંસા ભડકી ગઇ છે. આ મામલો સામે આવ્યા બાદ પ્રદર્શનકારીઓએ હિંદુઓની દુકાનો પર હુમલો કર્યો કે તેમાં આગ પણ લાગી ગઇ.
આ મામલો પ્રાંતનાં મીરપુરખાસનો જણાવવામાં આવી રહ્યો છે. ડૉક્ટરની ઓળખ રમેશકુમાર તરીકે થઇ છે. તેની વિરૂદ્ધ નજીકની જ મસ્જિદનાં એક ઇમામે મામલો દાખલ કરાવ્યો છે. રમેશ પર આરોપ છે કે તેઓએ કુરાનનાં પન્નાઓ ફાડીને તેમાં દવા લપેટીને દર્દીઓને આપી છે.
આ મામલે એસએચઓ જાહિદ હુસૈન લેધરીનું કહેવું એમ છે કે ડૉક્ટરની ધરપકડ કરીને તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ભડક્યાં બાદથી ડૉક્ટરને સુરક્ષિત સ્તાન પર લઇ જવામાં આવેલ છે
આખરે શું છે ઇશનિંદા કાયદો?
19મી સદીનાં બ્રિટિશ સામ્રાજ્યનાં નિયમો પર આધારિત આ કાયદાને 1980માં જિય ઉલ હકનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ઇસ્લામ કે પયંગબર મોહમ્મદની વિરૂદ્ધ બોલનારા વ્યક્તિને મોતની સજાની જોગવાઇ છે. સજા-એ-મૌત ન મળતા તેને આજીવન કેદની સજા આપવામાં આવે છે. સાથો સાથ તેને દંડ પણ ભરવો પડે છે.
ઇશનિંદાનાં આરોપમાં ફસતા રહે છે હિંદુઃ
પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. આ હિંદુઓ ઇશનિંદામાં ફસાવવાની ફરિયાદો કરતા રહે છે. તેઓનું કહેવું છે કે અહીં ઇશનિંદા મામલામાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવે છે.