નવસારી પંથકમાં બે વિદ્યાર્થીઓ સહીત 5 વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં ફફડાટ.નવસારીના મલીયાધારા શાળાનાં બે બાળકો સંક્રમિત. છેલ્લા એક અઠવાડિયામાં 8 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા ફફડાટ
સુરત બાદ હવે નવસારીમાં કોરોના સંક્રમણ
શાળાના બે બાળકો સહીત 5 સંક્રમિત
ગાંધીનગરમાં એક સચિવ પણ સંક્રમિત
રાજ્યમાં કોરોના સંક્રમણનો કહેર દબાતે પગલે આગળ ધપી રહ્યો હોય તેમ છેલા બે દિવસમાં દક્ષિણ ગુજરાતના સુરતની બે શાળાઓમાં બાળકો કોરોના પોઝીટીવ આવતા એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે ત્યારે, હવે નવસારી પંથકમાં બે વિદ્યાર્થીઓ સહીત 5 વ્યક્તિ કોરોના સંક્રમિત નિકળતા ફફડાટ વ્યાપી ગયો છે. નવસારીના મલીયાધારા શાળાનાં બે બાળકો કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 8 વિધાર્થીઓ પોઝીટીવ આવતા નાના એવા ગામમાં દહેશત ફેલાઈ છે.
સચિવાલયમાં પણ કોરોના
ઓમિક્રોન વાયરસની ભીતિ વચ્ચે ગાંધીનગરના સચિવાલયમાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઇ છે. ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ કોરોના સંક્રમિત થયા છે. બરાબર એક મહિના પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2022ની સચિવાલયમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, સામાન્ય વહીવટ વિભાગના સચિવ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓ/અધિકારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે.
સુરતમાં ફફડાટ યથાવત
ગુજરાતમાં ઓમિકોનની દહેશત કોરોના સંક્રમણ હજુ પણ ફૂંફાડો મારી રહ્યો છે. સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા છે.
મહાનગર પાલિકા સુરતે અડાજણ વિસ્તારની રીવર ડેલ શાળામાં વિધાર્થીઓનું સામૂહિક ટેસ્ટીંગ આયોજિત કર્યું હતું. વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ હાથ ધરાયો હતો. મહાપાલિકાના આરોગ્ય વિભાગના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પ્રસાશને એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા હતા.
ગુજરાતમાં ઓમિકોનની દહેશત કોરોના સંક્રમણ હજુ પણ ફૂંફાડો મારી રહ્યો છે. સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા છે.
મહાનગર પાલિકા સુરતે અડાજણ વિસ્તારની રીવર ડેલ શાળામાં વિધાર્થીઓનું સામૂહિક ટેસ્ટીંગ આયોજિત કર્યું હતું. વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ હાથ ધરાયો હતો. મહાપાલિકાના આરોગ્ય વિભાગના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પ્રસાશને એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા હતા.