જો તમે હાલમાં જ નવી કાર ખરીદી છે અને નવી કાર પર ટેમ્પ્રેરી રજિસ્ટ્રેશન નંબર લગાવીને ફરી રહ્યાં છો તો મોંઘુ પડી શકે છે. રોડ ટ્રોન્સપોર્ટ મિનિસ્ટ્રીએ હવે આના નિયમ બદલી દીધા છે. 11 કેટેગરીની ગાડીઓ પર રજિસ્ટ્રેશન નંબર દેખાડવા માટે બેકગ્રાઉન્ડ અને અલ્ફાન્યૂમરિક ડિટેલ્સના કલર કોડ પર વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરી છે. લિસ્ટમાં બે નવી વસ્તુઓ જોડાઈ છે. એક ટેમ્પ્રેરી નંબર પ્લેટ્સવાળી ગાડીઓ અને બીજું ડીલરની પાસે રહેલી ગાડીઓ. સેન્ટ્રલ મોટર વહિકલ્સ રૂલ્સમાં ચેન્જ કરીને નંબર પ્લેટને લઈને ઘણાં નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
હવે નંબર વિનાની ગાડી લઈને ફરવા નહીં નીકળાય
મોટલ વહિકલ્સ રૂલ્સમાં કેન્દ્ર સરકારે કર્યા ફેરફાર
11 પ્રકારની ગાડીઓના રજિસ્ટ્રેશન નંબર દેખાડવાના નિયમ બદલાયા
ટ્રાન્સપોર્ટ વિભાગના એક અધિકારી મુજબ ગુનેગાર અવારનવાર ટેમ્પ્રેરી નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ ગુનાહિત કામો માટે કરે છે. પેપર પર લખીને ચોંટાડેલા નંબર થોડી દૂરથી દેખાતા પણ નથી. તેને કાઢવા પણ સરળ છે. આ જ કારણથી નિયમોમાં ફેરફાર કરાયા છે. જેથી રોડ ક્રાઈમને કંટ્રોલ કરી શકાય.
શું છે નંબર પ્લેટથી જોડાયેલા નિયમ
કાયદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નંબર પ્લેટ પર અંગ્રેજી અને અરબી અંકો સિવાય નંબર પ્લેટ પર અન્ય કોઈ ભાષાના અંકોનો ઉપયોગકરવામાં આવશે નહીં. નંબર પ્લેટ પર બીજું કંઇપણ લખી શકાય નહીં. જેમ કે ઘણાં લોકો Dad's Gift, Cool Dude અને તેમની જાત, વ્યવસાયનું નામ પણણ નંબર પ્લેટ પર લખે છે. આવું કરવું ગેરકાયદેસર છે. નંબર પ્લેટ પર નોંધણી નંબર લોકલ ભાષામાં લખી શકાય નહીં. એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યો દ્વારા હરાજી કરવામાં આવતા વીઆઇપી રજિસ્ટ્રેશન નંબર્સે પણ આ નિયમોનું પાલન કરવું પડશે.
નંબર પ્લેટો સમાન હોવી કેમ જરૂરી છે
CMVRમાં નંબર પ્લેટ પર લખવામાં આવતા અક્ષરો અને અંકોની લંબાઈ અને પહોળાઈ પણ નક્કી કરાયેલી છે. ટૂ અને થ્રી વ્હીલર ગાડીઓને છોડીને તમામ ગાડીઓ પર અક્ષરની ઉંચાઈ 65 મિલીમીટર, જાડાઈ 10 મિલીમીટર અને સ્પેસ 10 મિલીમીટર હોવી જોઈએ.
દિલ્હી પરિવહન વિભાગના એક અધિકારી અનિલ ચિકારાએ કહ્યું, નંબર પ્લેટોમાં સમાનતા કાયદા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓટોમેટિંગ નંબર પ્લેટ રીડર્સવાળા કેમેરા નિયમોનું પાલન ન કરનાર નંબર પ્લેટ્સવાળી ગાડીઓના નંબર વાંચી શકતા નથી.
આખા દેશમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી)ના અમલીકરણથી નિયમ ભંગ કરનારાઓને પકડવામાં સરળતા રહેશે. જોકે, ઘણાં રાજ્યોએ હજી સુધી તેનો અમલ કર્યો નથી. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નોટિફિકેશન સ્થિતિને વધુ સ્પષ્ટ કરવા માટે લાગુ કરવામાં આવી છે.