હિંદુ ધર્મમાં કરોડો દોવી દેવતાઓનો ઉલ્લેખ છે અને એનાથી વધારે દેશમાં મંદિર છે. આમ તો વ્યક્તિ દરેક મંદિરમાં ભગવાનની પૂજા અને ધ્યાન કરવા માટે જાય છે પરંતુ પોતાની કોઇ ઇચ્છા અને મનોકામના પૂર્ણ થાય એ માટે વ્યક્તિ કોઇ એવા મંદિરની પસંદગી કરે છે જે એ મનોકામના પૂર્ણ થવા માટે ઓળખાય છે. આવું જ એક મંદિર છે જેના માટે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ જે કેદીઓની જેલ મુક્તિની ઇચ્છા પૂર્ણ થવા પર જાણીતું છે.
મધ્ય પ્રદેશના નીમચ જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર સ્થિત જાલીનેર ગામનું ખાકર દેવ મંદિર અનોખા કારણથી જાણીતું છે. અહીંયા પર સામાન્ય લોકો સાથે જ અપરાધી અને કેદી પણ પૂજા કરવા આવે છે માનવામાં આવી રહ્યું છે કે જે અપરાધી જેલથી ભાગવા ઇચ્છે છે અથવા જામીન પર છૂટવા માંગે છે એ અહીંયા પ્રાર્થના કરે છે. મન્નત પૂરી થવા પર ફરાર થયેલા કેદી રાત્રે અંધારામાં આવીને હથકડી ચઢાવે છે અને ત્યાંથી ભાગી જાય છે.
જાલીનેરના આ નાગ મંદિરમાં મોટાભાગે હથકડી ચઢાવનાર અફીમ તસ્કર હોય છે. મંદિરના પુજારી પણ કોઇનું નામ બતાવતા ડરે છે. એમનું કહેવું છે કે કેદી મન્નત માંગે છે અને પૂરી થવા પર રાતે અંધારામાં ખાનગી રીતે હથકડી ચઢાવી જાય છે.
પુજારીએ જણાવ્યું કે આશરે 50 વર્ષથી મંદિરમાં હથકડી ચઢાવવાની પરંપરા ચાલતી આવી છે. અહીંયા ભલે અપરાધિઓની શાંત હાજરી બનેલી રહે છે તેમ છતાં સામાન્ય લોકો પૂજા કરવા મંદિરમાં આવે છે.