ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત વપીર હનુમાનને દરેક લોકો ઓળખે છે અને એમના ભક્તોની પણ કોઇ કમી નથી. હનુમનાજી માટે એવું માનવામાં આવે છે કે આજે પણ આ ધરતી પર વિદ્યમાન છે અને સમયાંતરે પોતાના ભક્તોને દર્શન પણ આપે છે. હનુમાનજી જ એક એવા દેવતા છે જે કળયુગમાં ભક્તોની થોડી ભક્તિમાં પ્રસન્ન થઇ જાય છે.
ભારતમાં ભગવાન હનુમાનજીના હજારો મંદિરો છે મુખ્યત્વે મંદિરોમાં એમને ગદાની સાથે મહાબળી રૂપમાં દર્શન આપતાં જોવા મળે છે પરંતુ આજે અમે જે મંદિરની વાત કરીએ છીએ એ મંદિરમાં હનુમાનજીની હાથમાં ગદા નહીં પરંતુ એ નૃત્ય કરતાં જોવા મળી રહ્યા છે.
ઝાંસીમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીના હાથમાં ગદા નહીં પરંતુ એ નૃત્ય કરતા જોવા મળે છે. અહીંયા સ્થાપિત મૂર્તિમાં હનુમાનજીનો એક હાથ માથા પર છે અને બીજો હાથ કમર પર છે. માન્યતા છે કે નાચતા હનુમાનજી ની પ્રતિમાને વસ્ત્ર પહેરાવવામાં આવતા નથી પરંતુ એમને વસ્ત્ર પણ ધારણ કરી રાખ્યા છે. એની રક્ષા માટે મંદિરના બહાર બે દરબાણોને પણ રાખવામાં આવ્યા છે કારણે કે નૃત્ય મુદ્રામાં વિલીન હનુમનાજીની રક્ષા કરી શકે.
ઝાંસીમાં સ્થિત આ મંદિર હનુમાન મંદિરના નામથી નહીં પરંતુ માધવબેડિયા સરકારના નામથી જાણીતું છે. મંદિરના પુજારીએ જણાવ્યું કે હજારો વર્ષ જૂનું મંદિર છે. આ વાતનું કોઇ લિખિત પ્રમાણ તો નથી પરંતુ આ ડગ્યા અને મંદિરને આ નામથી ઓળખવામાં આવે છે.
કોઇ મોટા તહેવાર દરમિયાન અહીંયા વદારે ભક્તોની ભીડ જોવા મળે છે.
હનુમાનની પ્રતિમાં આશરે 5 ફીટ ઊંચી છે. આ મૂર્તિ ભગવાનના નૃત્ય મુદ્રાની છે.