તેલંગણામાં સોમવારે સામાજિક સમતા અને સમરસતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીં એક મંદિરના પૂજારી દલિત વ્યક્તિને પોતાના ખભા પર બેસાડીને મંદિરની અંદર લઇ ગયા હતા.
તેલંગણામાં પૂજારીએ દલિત વ્યક્તિને ખભા પર બેસાડ્યો
મંદિરમાં કર્યો પ્રવેશ
2 વર્ષ પહેલા પણ બની હતી આવી જ ઘટના
આ ઘટના તેલંગણાના ખમ્મમ સ્થિત રંગનાયકુલા ગટ્ટાની ઘટના છે. ખમ્મમના ઐતિહાસિક શ્રી લક્ષ્મી રંગનાથ મંદિરમાં સામાજીક સમરસતા વેદિકા, નરસિંહ વાહીની તથા અન્ય સંગઠનો સાથે મંદિર સંરક્ષણ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
દલિત વ્યક્તિને ખભા પર બેસાડી પૂજારી મંદિરમાં પ્રવેશ્યા
ત્યારે ત્યાં સ્થિત ગાંધી પ્રતિમાને માળા અર્પણ કર્યા બાદ રસ્તાના બંન્ને છેડાઓ પર મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહીને નાદસ્વરમ અને કોલ્લમની સાથે એક મોટી શોભાયાત્રા કાઢી હતી. ભદ્રાચલમ નરસિંહ સ્વામી મંદિરના પુજારી કૃષ્ણ ચૈતન્યએ તિરુપ્પનલવારની વેશભૂષા ધારણ કરીને દલિત સમૂદાયના રવિને પોતના ખભા પર ઉઠાવીને મંદિરમાં લઇ ગયા હતા.
સનાતન ધર્મમાં તમામ લોકો એક સમાન
આ ઉત્સવમાં ચિલકુર બાલાજી મંદિરના મુખ્ય પુજારી સીએસ રંગરાજન પણ સામેલ હતા. રંગરાજને આ અવસર પર જણાવ્યું કે, તેને એક વૈષ્ણવ આચાર્ય ભગવદ રામાનુજની શિક્ષાઓના ઉત્સવના રૂપે જોવામાં આવે છે. જેમણે એક ગેર-ભેદભાવપૂર્ણ અને સમતાવાદી સમાજ માટે સંઘર્ષ કર્યો હતો. રંગરાજને કહ્યું કે, સનાતન ધર્મમાં ઇશ્વર તમામને એક સમાન માનવામાં આવે છે.
2 વર્ષ પહેલા મુખ્ય પુજારી એક દલિતને ખભા પર બેસાડીને મંદિરમાં પ્રવેશ્યા હતા
તેલંગણામાં થનાર મુનિ વાહન સેવા તમિલનાડુમાં 2700 વર્ષથી ચાલી રહેલ આ સમારોહનું એક જ રૂપ છે. ત્યારે 2018માં મંદિરના મુખ્ય પુજારીએ દલિત યુવકને પોતાના ખભા પર બેસાડ્યો હતો અને ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.