દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ હિંદુ ધર્મના પ્રમુખ દેવતા છે. એમને ભોલેનાથ શંકર મહેશ રૂદ્ર નીલકંઠ ગંગાધર વગેરે નામથી પણ ઓળખાય છે. ભગવાન શિવના અનેક નામોની જેમ દુનિયાભરમાં અનેક હજારો મંદિર છે. માન્યતાઓ અનુસાર દેશમાં એવા કેટલાક સ્થાન છે જ્યાં શિવ શંભુ પોતે શિવલિંગના રૂપમાં પ્રકટ છે. એક એવું સંગમેશ્વર મહાદેવનું મંદિર પિહોવાથી ચાર કિલોમીટર દૂર અરુણાય ગામમાં સ્થિત છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. જર વર્ષે અહીંયા શિવરાત્રિ પર લાખો શ્રદ્ધાળુ શિવલિંગનો અભિષેક કરવા દૂર દૂરથી આવે છે. તો બીજી બાજુ દર મહિવે ત્રયોદશી પર મંદિરમાં લોકોની ભીડ લાગેલી રહે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં દિવસભર શ્રદ્ધાળુ મંદિરમાં પૂજા અર્ચના કરે છે. કહેવામાં આવે છે કે શિવ જેની ભક્તિથી ખુશ થાય છે એને મનવાંછિત ફળ આપે છે.
જ્યારે ઋષિ વશિષ્ઠ અને ઋષિ વિશ્વામિત્રમાં પોતાની શ્રષેઠતા સાબિત કરવા યુદ્ધ થયું તો ઋષિ વિશ્વામિત્રએ મા સરસ્વતીની મદદથી લાવવામાં આવેલા ઋષિ વશિષ્ઠને મારવા માટે શસ્ત્ર ઊઠાવ્યું ત્યારે મા સરસ્વતી ઋષિ વિશિષ્ટને પાછી લઇ ગઇ. ત્યારબાદ ઋષિ વિશ્વામિત્રએ માતા સરસ્વતીને રક્ત અને પીંપ સહિત વહેવડાવાનો શ્રાપ આપી દીધો. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે મા સરસ્વતીએ શિવની આરાધની કરી હતી. ભગવાન શંકરના આશીર્વાદથી પ્રેરિત 88 હજાર ઋષિઓએ આ યજ્ઞ દ્વારા અરુણા નદી અને સરસ્વતીનો સંગમ કરાવ્યો ત્યારબાદ એમને આ શ્રાપથી મુક્તિ મળી. નદીઓના સંગમના કારણએ આ પ્રાચીન મંદિરનું નામ સંગમેશ્વર મહાદેવ પડ્યું.
માન્યતા છે કે અહીંયા દર વર્ષે નાગ-નાગિનની જોડી આવે છે અને શિવલિંગની પૂજા કરીને જતા રહે છે. ખાસ વાત એ છે કે આ જોડીએ ક્યારેય પણ કોઇને નુકસાન પહોંચાડ્યું નથી.